આંતરરાષ્ટ્રીય

હિંસા વચ્ચે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ આપ્યું રાજીનામું, ઢાકા છોડી ભારત માટે રવાના, જુઓ વિડીયો

Published

on

પાડોશી દેશ બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યો છે. આ દરમિયાન એક મોટા સંચાર સામે આવી રહ્યા છે, કે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. આ દરમિયાન મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે.

ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ શેખ હસીના ભારત જવા રવાના થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે શેખ હસીનાની બહેન પણ તેમની સાથે છે. શેખ હસીનાના પુત્રએ દેશના સુરક્ષા દળોને બળવોના સંભવિત પ્રયાસોને સફળ ન થવા દેવા વિનંતી કરી છે. આ દરમિયાન રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે. કર્ફ્યુ અમલમાં છે. આ પહેલા સત્તારૂઢ અવામી લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટી BNP વચ્ચે આર્મી હેડક્વાર્ટરમાં એક મોટી બેઠક યોજાઈ રહી છે.

બાંગ્લાદેશમાં સતત બગડતી પરિસ્થિતિ વચ્ચે આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાન થોડા સમયમાં દેશને સંબોધિત કરી શકે છે. અગાઉ, હજારો વિરોધીઓ દેશવ્યાપી કર્ફ્યુને બાયપાસ કરીને, લાંબી કૂચ માટે ઢાકાના શાહબાગ ચોક પર એકઠા થયા હતા. તે જ સમયે, એક દિવસ પહેલા રવિવારે થયેલી હિંસામાં 100 થી વધુ લોકોના મોત થયા હતા. જેમાં 19 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.

બાંગ્લાદેશની સ્થિતિ એવી જ બની રહી છે જે થોડા સમય પહેલા પાકિસ્તાનમાં હતી. પાકિસ્તાનની જેમ આંતરિક વિખવાદથી ઝઝૂમી રહેલા બાંગ્લાદેશમાં લોંગ માર્ચનું આહ્વાન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી નેતાઓએ વડા પ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે સવિનય અવજ્ઞા આંદોલનની જાહેરાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version