ગુજરાત
મહીસાગર જિલ્લાના વિરપુરનો એક વિચિત્ર કિસ્સો…પત્નીએ પતિને બચકા ભર્યા, શખ્સને લેવું પડ્યું ધનુરનું ઈન્જેક્શન!
મહિસાગરના વિરપુરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે જો કોઈ વ્યક્તિને શ્વાન, સાપ કે અન્ય કોઈ પ્રાણી કરડે તો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે અને તબીબો દ્વારા તેને ધનુરનું ઈન્જેક્શન આપતાં આપવામાં આવે છે. પરંતુ વિરપુરના આ કિસ્સામાં પત્નીએ પતિને બચકું ભર્યું હતું જેના કારણે વ્યક્તિને ધનુરનું ઈન્જેક્શન લેવું પડ્યું.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર વિરપુરની CHC હોસ્પીટલમાં સોમવારે ઘાયલ અવસ્થામાં આવેલ એક વ્યક્તિએ જ્યારે તેને તેની પત્નીએ બચકાં ભર્યા હોવાની વાત રજુ કરી ત્યારે ડોક્ટર પણ ચોંકી ગયાં હતાં. ત્યારબાદ ડોક્ટરે યુવાનની સારવાર કરતાં તેને ધનુરનું ઈન્જેક્શન આપ્યું અને દવા આપી હતી.
આ સમગ્ર મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. હાલ આ કેસ સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો હતો.