Sports

IPL-2025માં રીટેન્શનના નવા નિયમો અંગે માસાંતે નિર્ણય લેવાશે

Published

on

29મીએ બેંગ્લોરમાં યોજાશે BCCIની વાર્ષિક બેઠક

રીટેન્શનના નવા નિયમો આઇપીએલ 2025 પહેલા જાહેર કરવામાં આવશે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં નવા નિયમોની જાહેરાત કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર, આઇપીએલ 2025 માટે રિટેન્શન નિયમોની રજૂઆતમાં વિલંબ થઈ શકે છે. બીસીસીઆઈની વાર્ષિક સામાન્ય સભા સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં બેંગ્લોરમાં યોજાશે.


રીટેન્શન નિયમો અંગે એક નવું અપડેટ આવ્યું છે. ક્રિકબઝના એક સમાચાર અનુસાર, બીસીસીઆઇની વાર્ષિક બેઠક બેંગ્લોરમાં 29 સપ્ટેમ્બરે યોજાવાની છે. રીટેન્શન નિયમો આ સમયની આસપાસ જાહેર કરવામાં આવી શકે છે. જોકે, આ અને આઈપીએલની નીતિ વચ્ચે કોઈ સંબંધ નથી. આ માટે ઓછામાં ઓછા 10 દિવસનો સમય લાગી શકે છે. બીસીસીઆઇ ઓગસ્ટના અંતમાં નવા નિયમોની જાહેરાત કરવા જઈ રહ્યું હતું. પરંતુ તારીખ લંબાવવામાં આવી હતી.


બીસીસીઆઇ પોલિસીની જાહેરાત કર્યા પછી, ટીમો તેમના ખેલાડીઓની રિલીઝ અને રીટેન્શન લિસ્ટ પર કામ કરશે. તેથી તેઓ 15 નવેમ્બર સુધીમાં આ અંગે નિર્ણય લઈ શકે છે. આ પછી ડિસેમ્બરમાં મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર આ વખતે રિટેન કરવામાં આવનાર ખેલાડીઓની સંખ્યા વધી શકે છે. બીસીસીઆઈએ તાજેતરમાં ટીમના માલિકો સાથે બેઠક પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version