Site icon Gujarat Mirror

ખંભાળિયા નજીકના કંડોરણા ગામે વાડીના કૂવામાંથી મહિલાની લાશ મળી

ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે આવેલા એક આસામીની વાડીમાં રહેલા પાણી ભરેલા એક કૂવામાં એક મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક સરપંચ દ્વારા ખંભાળિયાના ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સૂચના મુજબ ફાયર સ્ટાફના શિવરાજસિંહ, જયપાલસિંહ અને વિવેક માડમ આ સ્થળે દોડી ગયા હતા અને લાંબી જહેમત બાદ કૂવામાંથી એક મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આશરે 45 વર્ષના મહિલાનું નામ જીવીબેન ભુંડીયા હોવાનું જાહેર થયું છે. જ્યારે મૃત્યુનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. આ મામલે હવે મૃતકના પરિવારનું નિવેદન લઈ કારણ જાણવા તજવીજ શરૂ કરી છે.

Exit mobile version