ગુજરાત

શાંતિનગરમાંથી પ્રૌઢ ભેદી સંજોગોમાં ગુમ

Published

on

જામનગરના શાંતિનગર વિસ્તારમાં વસવાટ કરતા એક પ્રૌઢ માનસિક બીમારીથી પીડાતા હતા. તેના કારણે તેઓ પોતાના ઘરેથી કયાંક ચાલ્યા ગયા હોવા ની પોલીસને જાણ કરવામાં આવી છે.


જામનગરના પટેલકોલોની વિસ્તારના છેવાડે આવેલા શાંતિનગરની શેરી નં.6 માં રહેતા દશરથસિંહ રણજીતસિંહ ચુડાસમા નામના અઠ્ઠાવન વર્ષના પ્રૌઢ છ એક મહિના પહેલાં પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા અને તે પછી પરત પણ આવી ગયા હતા. આ પ્રૌઢ થોડા સમય પહેલાં ફરીથી પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે. તેમના પરિવારે પોલીસને જાણ કરી છે. ઉપરોક્ત તસ્વીરવાળા પ્રૌઢ છેલ્લા બેએક દાયકાથી માનસિક બીમારીનો ભોગ બન્યા છે. આ વ્યક્તિ અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ પોલીસને જાણ કરવા અનુરોધ કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version