રાષ્ટ્રીય

અનામતથી IAS બનવાના ખેલનો પર્દાફાશ કરતા મેન્ટર વિકાસ દિવ્યકીર્તિ

Published

on

સરકારી નોકરી મેળવવા દરેક યુવા આતુર હોય છે. ખાસ કરીને જ્યારે IAS, IPS, IRS અને IFSના પદની વાત કરીએ તો યુવાઓ વર્ષો સુધી તેના માટે તૈયારીઓ કરતા હોય છે. યુપીએસસીની તૈયારી કરવા માટે લોકો અનેક વર્ષો સુધી સંઘર્ષ અને મહેનત કરતા હોય છે. પંરતુ તેમાંથી કેટલાક જ નસીબ બળવાન નીકળે છે. પરંતુ તેમાં કેટલાક એવા છે જે દાવપેચ કરીને ઈંઅજ બની જાય છે.

મહારાષ્ટ્ર કેડરની આઈએએસ પૂજા ખેડકર આજકાલ ચર્ચામાં છે. તપાસ બાદ માલૂમ પડ્યુંક ે, પૂજાએ આરક્ષણનો ખોટો ફાયદો ઉઠાવીને યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી.
પૂજા ખેડકરે ઓબીસી-એનસીએલ અને દિવ્યાંગ કેટેગરી અંતર્ગત યુપીએસસી પરીક્ષા આપી હતી. તેનો મામલો સામે આવ્યા બાદ અનેક અધિકારીઓ પણ આ કેસમાં તપાસમાં લાગી ગયા છે. યુપીએસસીમાં આરક્ષણનો ખેલ કેવી રીતે રમાય છે, તેના પર મેન્ટર વિકાસ દિવ્યકીર્તિએ હકીકત જણાવી છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, કેવી રીતે યુપીએસસી કેન્ડિડેટ્સ સરકારી નીતિઓની ધજ્જિયા ઉડાવે છે, હાલ તેમનો આ ઈન્ટરવ્યૂ વાયરલ થઈ રહ્યો છે.તેમણે અનેક ઉદાહરણ આપીને સમજાવ્યું કે, કેવી રીતે ઓબીસી અને ઈડબલ્યુએસ આરક્ષણ નીતિઓની ખામીઓનો ખોટો ફાયદો ઉઠાવીને લોકો યુપીએસસી ક્રેક કરી રહ્યાં છે.

વિકાસ દિવ્યકીર્તિ દ્વારા વર્ણવેલ રમત આશ્ચર્યજનક છે. વાસ્તવમાં, નિયમો અનુસાર, 8 લાખ રૂૂપિયાથી વધુ આવક ધરાવતા લોકોને સામાન્ય શ્રેણી ગણવામાં આવે છે. પરંતુ ગ્રુપ સી અને ડીમાં કામ કરતા માતા-પિતા માટે 8 લાખ રૂૂપિયાની કોઈ જવાબદારી નથી. જો તેમની આવક આનાથી વધુ હોય તો પણ તેઓ અનામત માટે લાયક ગણાય છે.UPSCની અનામત નીતિમાં એક ખામી એ પણ છે કે તેમાં OBC ઉમેદવારોની આવક ગણાતી નથી. તે મહિને 50 હજાર રૂૂપિયા કમાય કે 50 લાખ રૂૂપિયા કમાય તેનાથી કોઈ ફરક પડતો નથી. જો તેના માતા-પિતા ઓબીસીની શ્રેણીમાં આવે છે તો તેને અનામતનો લાભ મળશે.


દિવ્યકીર્તિએ એક ઉદાહરણ આપીને આ વાત સમજાવી. તેણે કહ્યું કે ધારો કે મારા પિતા ઈંઅજ અધિકારી છે અને હવે તેમની નિવૃત્તિમાં માત્ર બે વર્ષ બાકી છે. હું OBC છું, પરંતુ મારા પિતા વર્ગ-1 ની નોકરી કરે છે, તેથી મને OBC અનામતનો લાભ નહીં મળે. હવે ઈંઅજ બનવા માટે મેં મારા પિતાને કહ્યું કે હું જનરલ નહીં બની શકું, મારે OBC બનવું છે, તમે મને સપોર્ટ કરો. તમે રાજીનામું આપો. હવે આ મર્યાદા મને લાગુ પડતી નથી કારણ કે મારા પિતા ગ્રુપ 1ની નોકરીમાં છે.


EWS આરક્ષણ દ્વારા IAS અથવા IPS અધિકારી પણ બની શકે છે. જેઓ ઊઠજ કેટેગરી હેઠળUPSC પરીક્ષા આપે છે તેમના માટેનો નિયમ એ છે કે તેમના સમગ્ર પરિવારની આવક ગણાય છે, પરંતુ માત્ર છેલ્લા વર્ષ માટે. ઉમેદવારની આવકની ગણતરી કરવા માટે પણ કોઈ માપદંડ નથી.

UPSC ની આરક્ષણ નીતિ

  1. UPSC નિયમો મુજબ, OBC ક્રીમી લેયર ઉમેદવારો (માતાપિતાની વાર્ષિક આવક રૂૂ 8 લાખથી વધુ) સામાન્ય શ્રેણીના ઉમેદવારો તરીકે ગણવામાં આવે છે. 2. આ સિવાય જે ઉમેદવારોનાં માતા કે પિતા પ્રથમ વર્ગની નોકરીમાં છે તેમને OBC ક્રીમી લેયરમાં મૂકવામાં આવ્યા છે. 3. જો માતા-પિતા બંને ગ્રુપ ઇમાં હોય તો પણ તેઓને સામાન્ય ગણવામાં આવશે. જો કે, ગ્રુપ સી અને ગ્રુપ ડીમાં આવતા લોકોને OBC ગણવામાં આવે છે, પછી ભલે તેમની આવક 8 લાખ રૂૂપિયાથી વધુ હોય. 4. UPSC આરક્ષણ નીતિમાં કૃષિમાંથી થતી આવકનો સમાવેશ થતો નથી. તેથી, ઘણા સરકારી કર્મચારીઓ ખેતીમાંથી આવક મેળવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version