Site icon Gujarat Mirror

શરીફની હાજરીમાં મોદીએ પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરી કહ્યું, આતંકવાદ મામલે બેવડા ધોરણો ન ચાલે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઇ કોઓપરેશન કાઉન્સીલ (એસસીઓ)ની બેઠકને સંબોધન કરી પાક. વડાપ્રધાન શારીફની હાજરીમાં પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરી સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભારત તેના સાર્વભૌમત્વ સાથે કોઇ બાંધછોડ કરશે નહીં, તેમણે કહ્યું કે આતંકવાદ મામલે તે બેવડા ધોરણ સ્વીકારશે નહીં. તેમણે કહ્યું કે ભારત છેલ્લા સાત દાયકાથી આતંકવાદનો સામનો કરી રહ્યું છે. પહેલગામ હુમલાને તેમણે માનવતા પરનો હુમલો અને એક પડકાર ગણાવ્યું હતું. તેમણે પોતાના પ્રવચનમાં આતંકવાદનો નવ વખત ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે આપણે સૌએ આતંકવાદના તમામ સ્વરૂપનો વિરોધ કરવો જોઇએ. આતંકવાદ પ્રાદેશીક સ્થિરતા સામે મોટો ખતરો છે.

મોદીએ SCO દેશો વચ્ચે કનેક્ટિવિટી વધારવા પર ભાર મૂક્યો. પીએમ મોદીએ કહ્યું કે કનેક્ટિવિટીમાં સુધારો કરવો એ સમયની જરૂૂરિયાત છે, પરંતુ તે જ સમયે સાર્વભૌમત્વનું સન્માન પણ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે મોદીએ ઈશારાઓમાં ચીનને સ્પષ્ટપણે કહ્યું છે કે ભારત સાર્વભૌમત્વ સાથે સમાધાન કરશે નહીં. વાસ્તવમાં, ચીન બેલ્ટ એન્ડ રોડ પહેલ દ્વારા SCO દેશોમાં કનેક્ટિવિટીને મજબૂત બનાવી રહ્યું છે. ભારત તેનો ભાગ નથી. ચીન અને પાકિસ્તાન વચ્ચે કનેક્ટિવિટી માટે બનાવવામાં આવી રહેલા માળખામાં પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરનો પણ સમાવેશ થાય છે, જેનો ભારત વાંધો ઉઠાવે છે. POK ભારતનો એક ભાગ છે અને ભારતે ચીન દ્વારા ત્યાં રસ્તાઓ બનાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

મોદીએ કહ્યું, હું SCO સમિટમાં ભાગ લઈને ખુશ છું. હું રાષ્ટ્રપતિ શી જિનપિંગનો અમારા ભવ્ય સ્વાગત માટે આભાર માનવા માંગુ છું. આજે ઉઝબેકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે, હું તેમને પણ અભિનંદન આપું છું. પીએમ મોદીએ કહ્યું કે ભારતે જઈઘના સભ્ય તરીકે અત્યંત સકારાત્મક ભૂમિકા ભજવી છે. SCO માટે ભારતનું વિઝન અને નીતિ ત્રણ મહત્વપૂર્ણ સ્તંભો પર આધારિત છે. S – સુરક્ષા, C – કનેક્ટિવિટી અને O – તક.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું, અમે સતત કાયદા અમલીકરણ અને સુરક્ષા સહયોગને પ્રોત્સાહન આપ્યું છે, મતભેદોને યોગ્ય રીતે ઉકેલ્યા છે, બાહ્ય હસ્તક્ષેપનો સ્પષ્ટપણે વિરોધ કર્યો છે અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખી છે. અમે બેલ્ટ એન્ડ રોડ સહયોગ શરૂૂ કરનાર પ્રથમ દેશ હતા. અમે હંમેશા આંતરરાષ્ટ્રીય ન્યાય અને ન્યાય માટે ઉભા રહ્યા છીએ, સભ્યતાઓમાં સમાવિષ્ટતા અને પરસ્પર શિક્ષણની હિમાયત કરી છે, અને આધિપત્યવાદ અને સત્તા રાજકારણનો વિરોધ કર્યો છે.

Exit mobile version