ગુજરાત

પાટણ-સિદ્ધપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત: કાર બ્રીજના ડિવાઇડર સાથે ટકરાતાં ત્રણના મોત, બે ગંભીર

Published

on

રાજ્યમાં દિવસે ને દિવસે અક્સમાતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે પાટણ-સિદ્ધપુર હાઇવે પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ભયાનક અકસ્માતમાં ત્રણના મોત થયા છે અને બેની હાલત ગંભીર છે.

આ ભયાનક અકસ્માતમાં કાર ડીવાઇડરમાં રીતસરની ઘૂસી ગઈ હતી. આ અકસ્માતની મળતી માહિતી અનુસાર મહેસાણાનો પરિવાર રણુજાથી મહેસાણા જતો હતો ત્યારે આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાત વાડા ગામ નજીક નદીના બ્રીજ પર સર્જાયા હતો. કાર બ્રીજના ડીવાઇડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં વિનુભાઈ ચીમનલાલ સુથાર, ગીતાબેન વિનુભાઈ સુથાર અને સંજયભાઈ ચંદુલાલ સુથારના મોત નીપજયા છે. જયારે અન્ય લોકોની હાલત ગંભીર રીતે છે. આ અકસ્માતની જાણ થતાં 108 ઘટનાસ્થળે પહોંચી હતી. અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version