ગુજરાત
ભાવનગરના આર્મીના જવાનને હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યો
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના નેસડા ગામના આર્મી જવાન રોહિતભાઈ ઉકાભાઇ ડાંગર વીરગતિ પામ્યા છે . છેલ્લા એક વર્ષથી અરુણાચલ પ્રદેશ ખાતે આઈટીબીપી માં ફરજ બજાવતા હતા.બનાવ એવો બન્યો કે ટ્રેનિંગ પછી શપથ લીધાના એક દિવસ બાદ આવેલ એટેક જીવલેણ નીવડ્યો રોહિતભાઈ ડાંગરના પાર્થિવદેહને વતન લાવવામાં આવ્યો છે. આજે નેસડા ખાતે અંતિમવિધિ થઈ હતી. આજે સવારે 7 વાગે નારી ચોકડીથી નેસડા સુધી વીર શહિદ યાત્રા નીકળી હતી. આહિર સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.