ગુજરાત
વાંકાનેર રેલવે જંક્શન નજીક ટ્રેનમાંથી પડી જતાં યુવાનનું મોત
મૃતકના વાલીવારસની શોધખોળ
વાંકાનેર રેલવે સ્ટેશન નજીક મેલડી માતાજીના મંદિર પાસે ગઈકાલ સાંજના સમયે કોઈ પેસેન્જર ટ્રેનમાંથી પડી જતાં એક અજાણ્યા 35 વર્ષની ઉંમરના પુરુષનું મોત થતાં રેલવે ટ્રેક પાસેથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. જેથી હાલ આ બનાવમાં રેલવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર રેલવે સ્ટેશન નજીક મેલડી માતાજીના મંદિર પાસેથી ગઈકાલે સાંજે 6:30 વાગયની આસપાસ કોઈપેસેન્જર ટ્રેનમાંથી પડી જવાથી માથામાં તથા શરીરે ગંભીર ઈજા પોહંચવાથી એક અજાણ્યા 35 વર્ષીય પુરુષનું મોત થતાં રેલવે ટ્રેક નજીકથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી હાલ આ બનાવમાં રેલવે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી મૃતક યુવાન જેણે શરીરે સફેદ કલરનું ટુંકી બાયનું ટીશર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ હોય ઉપરની ફોટાવાળો મૃતકની કોઈ ઓળખ મળે તો રેલવે પોલીસના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો મો. નં. 63526 35525 પર સંપર્ક કરવા જણાવાયું છે.