શહેરના સિવિલ હોસ્પીટલ ચોકમાં મહાનગરપાલિકા દ્વારા કાયમી સફાઇ કામદારોની ભરતીમાં ગેર બંધારણીય નિયમ રદ કરવાની માંગ સાથે 17 દિવસથી ધરણા પર બેઠેલા કામદાર યુનિયનના પ્રમુખની તબીયત લથડતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા છે. જો કે માંગણી ન સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સફાઇ કામદારોની ભરતીમાં માતા-પિતા અને દાદા-દાદીવાળો ગેરબંધારણીય નિયમ રદ કરવાની માંગ સાથે સિવિલ હોસ્પીટલ ચોકમાં ડો.આંબેડકરની પ્રતિમા પાસે 17 દિવસથી ધરણા-ઉપવાસ પર બેઠેલા રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ ભરતભાઇ બેડીયા (ઉ.33, રે.મોચીનગર, રામાપીર ચોકડી પાસે)ની ગતરાતે તબીયત લથડતા બેભાન થઇ ગયો હતો. જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે હજુ પણ રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખે ધરણા- ઉપવાસ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. જયાં સુધી અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું.
હોસ્પિટલ ચોકમાં ધરણાં પર બેઠેલા કામદાર યુનિયનના પ્રમુખની તબિયત લથડી
