Site icon Gujarat Mirror

મોદી 10-12, શાહ 35-40 રેલી દ્વારા મતદારોને વશ કરશે

બિહારમાં એનડીએ ટિકિટ વિતરણ પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે. ઉમેદવારોએ નામાંકન ભરવાનું શરૂૂ કરી દીધું છે. પીએમ નરેન્દ્ર મોદીએ 15 ઓક્ટોબરે બિહારમાં ભાજપ કાર્યકરો સાથે વાતચીત કરી હતી, જ્યારે અમિત શાહની રેલીઓ પણ શરૂૂ થઈ ગઈ છે. દેશભરના ટોચના ભાજપના નેતાઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ બિહારમાં આવવા લાગ્યા છે. ભાજપના ટોચના સૂત્રો કહે છે કે પીએમ ઓછામાં ઓછી 10 રેલીઓ કરશે, અને જો જરૂૂર પડે તો વધુ બે રેલીઓ ઉમેરી શકાય છે. ગૃહમંત્રી અમિત શાહે પણ 17 ઓક્ટોબરે રેલીઓ સાથે પ્રચાર શરૂૂ કરી દીધો છે.ભાજપના સૂત્રો અનુસાર, પાર્ટી અમિત શાહ દ્વારા 35 થી 40 રેલીઓ યોજવાની યોજના બનાવી રહી છે. મનોજ તિવારી, પવન સિંહ, રવિ કિશન અને નિરહુઆ જેવા ભોજપુરી સ્ટાર્સ પણ ભાજપની સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે.

પ્રધાનમંત્રીની પહેલી રેલી 23 ઓક્ટોબરે યોજાવાની છે. આ દિવસે તેઓ સાસારામ, ગયા અને ભાગલપુરમાં મોટી જાહેર સભાઓને સંબોધિત કરશે. આ પછી, 28 ઓક્ટોબરે દરભંગા, મુઝફ્ફરપુર અને પટણામાં રેલીઓ યોજાશે. પ્રધાનમંત્રી મોદી 1 નવેમ્બરે પૂર્વ ચંપારણ, સમસ્તીપુર અને છપરામાં સંબોધન કરશે. અંતે, 3 નવેમ્બરના રોજ, પશ્ચિમ ચંપારણ, અરરિયા અને સહરસામાં રેલીઓ સમાપ્ત થશે. આ વિસ્તારો ચૂંટણીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે.

Exit mobile version