Site icon Gujarat Mirror

સરદારનગરના બંધ મકાનમાં આગ ભભૂકી

શહેરના સરદારનગર મેઈન રોડ ઉપર શેરી નં.18ના ખુણે એક મકાનમાં ફળીયામાં આગ ભભૂકી ઉઠી હતી. છેલ્લા ઘણા વર્ષોથી બંધ પડેલા મકાનના ફળીયામાં પડેલા કચરામાં કોઈ કારણસર આગ લાગી હતી. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર ફાઈટર સરદારનગર ખાતે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી. સરદારનગરમાં લાગેલી આગથી થોડીવાર માટે અફરા તરફરીનો માહોલ સર્જાર્યો હતો.

Exit mobile version