ગુજરાત

ગોંડલમાં ગૃહકલેશથી કંટાળી દંપતી અને પુત્રનો સજોડે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ

Published

on


ગોંડલમાં આવેલ ભગવતપરા વિસ્તારમાં રહેતા પરિવારના ત્રણ સભ્યોએ ગૃહકલેશથી કંટાળી સજોડે ફિનાઈલથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દંપતિ અને પુત્રની તબિયત લથડતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં આવેલા ભગવતપરા વિસ્તારમાં રહેતા પ્રવિણ કાનજીભાઈ રાઠોડ ઉ.વ.44, તેમના પત્ની ગીતાબેન પ્રવિણભાઈ રાઠોડ ઉ.વ.40 અને પુત્ર સાવન પ્રવિણભાઈ રાઠોડ ઉ.વ.22 પોતાના ઘરે હતા ત્યારે બપોરના બે વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું. દંપતિ અને પુત્રની તબીયત લથડતા તાત્કાલીક સારવાર માટે ગોંડલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.


આ અંગે પ્રાથમિક પુછપરછમાં સજોડે ફિનાઈલ પી લેનાર સાવન રાઠોડની પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે, ગૃહકલેશથી કંટાળી દંપતિ અને પુત્રએ સજોડે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version