Site icon Gujarat Mirror

ઓપરેશન સિંદૂર વખતે ભારત-પાક. વચ્ચે મધ્યસ્થી કર્યાનો ચીનનો દાવો

ટ્રમ્પ પછી હવે ઈસ્લામાબાદના સાથી દેશનો વિચિત્ર દાવો

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પછી, ચીન હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરવાનો દાવો પણ કરી રહ્યું છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ગઇકાલે દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ મુખ્ય સંવેદનશીલ મુદ્દાઓમાંનો એક હતો જે આ વર્ષે ચીને “મધ્યસ્થી” કરી હતી. ભારતે સતત કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન સંબંધિત બાબતોમાં કોઈપણ તૃતીય-પક્ષ હસ્તક્ષેપ માટે કોઈ જગ્યા નથી.
ભારતનો દાવો છે કે 7 થી 10 મે દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ બંને સેનાઓના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ઉૠખઘત) વચ્ચે સીધી વાતચીત દ્વારા ઉકેલાયો હતો. 7 મેના રોજ, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (ઙજ્ઞઊં) માં આતંકવાદી ઠેકાણાઓ સામે “ઓપરેશન સિંદૂર” શરૂૂ કર્યું.

મડામારીના મુદ્દાઓને ઉકેલવા માટે આ ચીની અભિગમને અનુસરીને, અમે ઉત્તરી મ્યાનમાર, ઈરાની પરમાણુ મુદ્દો, પાકિસ્તાન અને ભારત વચ્ચેના તણાવ, પેલેસ્ટાઇન અને ઇઝરાયલ મુદ્દાઓ અને કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચેના તાજેતરના સંઘર્ષમાં મધ્યસ્થી કરી છે. આ વર્ષે 7 થી 10 મે દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં ચીનની ભૂમિકા, ખાસ કરીને પાકિસ્તાનને તેની લશ્કરી સહાય, આકરી તપાસ અને ટીકાનો સામનો કરી રહી છે. રાજદ્વારી મોરચે, ચીને 7 મેના રોજ ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા હાકલ કરી.

ચીનની વિદેશ નીતિ પહેલ પરના પોતાના ભાષણમાં, વાંગે ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારો લાવવામાં સારી ગતિની નોંધ લીધી અને ઓગસ્ટમાં તિયાનજિનમાં આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન (જઈઘ) સમિટમાં હાજરી આપવા માટે બેઇજિંગ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવાનો ઉલ્લેખ કર્યો.

Exit mobile version