Site icon Gujarat Mirror

દ્વારકાધીશ જગત મંદિર ખાતે આગામી દિવસોમાં ધનુર્માસ ઉત્સવને લઈ શ્રીજીના દર્શનમાં ફેરફાર

જગત પ્રસિધ્ધ દ્વારકા જગત મંદિર ખાતે આગામી દિવસોમાં આવતા ધનુર્માસ ને લૈઇ શ્રીજીના દર્શન નો કાર્યક્રમ જાહેર કરાયો છે.

જેમાં અગામી તારીખ 16 /12 2025 મંગળવાર તા. 23/12 મંગળવાર તા.25/12 ગુરૂૂવાર અને તા.8/1/2026 ગુરૂૂવાર આ તમામ દિવસો દરમિયાન ઠાકોરજીને મંગલા આરતી સવારે 5:30 વાગ્યે થશે. અનોસર (મંદિર બંધ) સવારે 10:30 થી સાંજે 5:00 વાગ્યા સુધી બંધ રહેશે તેમજ સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે જેની નોંધ વૈષ્ણવો એ લેવી વહીવટદાર શ્રી દ્વારકાધીશ મંદિર દ્વારકા ની યાદીમાં જણાવ્યું છે.

Exit mobile version