Site icon Gujarat Mirror

પહેલગામ હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવો: કવાડનું નિવેદન

Quad countriesના વિદેશ મંત્રીઓએ સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોને પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારોને કડકમાં કડક સજા અપાવવા માટે તમામ પ્રયાસો કરવા અને આતંકવાદ સામેની લડાઈમાં બિનશરતી એક થવા અપીલ કરી. તેમણે આ નિંદનીય કૃત્યના ગુનેગારો, કાવતરાખોરો અને નાણાકીય સહાયકોને કોઈપણ વિલંબ વિના ન્યાયના કઠેડામાં લાવવામાં સહયોગ આપવા હાકલ કરી.

ક્વાડ દેશો એટલે કે અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ બુધવારે એક સંયુક્ત નિવેદનમાં 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી. આતંકવાદી હુમલામાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની નિર્દયતાથી હત્યા કરી હતી. ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોને આ નિંદનીય કૃત્યના ગુનેગારો, આયોજકો અને નાણાકીય સહાયકોને કોઈપણ વિલંબ વિના ન્યાયના કઠેડામાં લાવવામાં સહયોગ કરવા હાકલ કરી.

ક્વાડ સ્પષ્ટપણે સરહદ પાર આતંકવાદ સહિત તમામ પ્રકારના આક્રમક આક્રમણ અને હિંસક ઉગ્રવાદની નિંદા કરે છે. ક્વાડ આતંકવાદ વિરોધી સહયોગ પ્રત્યે તેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરે છે. ક્વાડ 22 એપ્રિલ, 2025 ના રોજ પહેલગામ માં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરે છે, જેમાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, અમે ગુનેગારો, કાવતરાખોરો, તેમના મદદગારો અને નાણાકીય સહાય પૂરી પાડનારાઓને કોઈપણ વિલંબ વિના ન્યાયના કઠેડામાં લાવવા અપીલ કરીએ છીએ. અમે સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોને આંતરરાષ્ટ્રીય કાયદા અને સંબંધિત ઞગજઈછ હેઠળ તેમની જવાબદારી અનુસાર આ સંદર્ભમાં તમામ સંબંધિત અધિકારીઓ સાથે સક્રિયપણે સહયોગ કરવા વિનંતી કરીએ છીએ.

Exit mobile version