Site icon Gujarat Mirror

રણમાં ગુલાબ: છ વર્ષ બાદ ભારત-ચીન વચ્ચે સીધી ફલાઇટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ ક્ષી જિનપિંગ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠક બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં મોટો સુધારો જોવા મળ્યો છે. BRICS 2026 શિખર સંમેલન દરમિયાન યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય મુલાકાતમાં બંને દેશો વચ્ચે 6 વર્ષના લાંબા વિરામ બાદ ફરી એકવાર સીધી વિમાન સેવાઓ (Direct Flights) શરૂૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત નવી દિલ્હી અને ચીનના પ્રમુખ વ્યાપારી કેન્દ્ર ગ્વાંગઝૂ વચ્ચે સીધી ફ્લાઇટ્સ પુન: શરૂૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 2020માં કોવિડ-19 મહામારી અને ત્યારબાદ સરહદ પર સર્જાયેલા રાજનૈતિક તણાવને કારણે ભારત અને ચીન વચ્ચેની તમામ સીધી એરલાઇન સેવાઓ મુલતવી રાખવામાં આવી હતી. 6 વર્ષ સુધી સીધી ફ્લાઇટ્સ બંધ રહેવાના કારણે વેપારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને ત્રીજા દેશો મારફતે મુસાફરી કરવી પડતી હતી. હવે આ સેવાઓ ફરી શરૂૂ થવાથી બંને દેશોના નાગરિકોને અવરજવરમાં મોટી રાહત મળશે અને વિયેતનામ કે હોંગકોંગ થઈને જવાનો મોંઘો તથા લાંબો સમય બચશે. દિલ્હી-ગ્વાંગઝૂ ફ્લાઇટ્સ શરૂૂ થવાથી દ્વિપક્ષીય વેપારને નવો વેગ મળશે, કારણ કે ગ્વાંગઝૂ એ ચીનનું મુખ્ય મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ હબ છે જ્યાંથી મોટા પ્રમાણમાં ભારતીય વેપારીઓ માલસામાનની આયાત-નિકાસ કરે છે. બંને દેશોના નાગરિક ઉડ્ડયન મંત્રાલયો દ્વારા ફ્લાઇટ શેડ્યૂલ અને ઓપરેશનલ બાબતો આખરી આકાર આપવામાં આવી રહ્યો છે.

Exit mobile version