ગુજરાત

ખંભાળિયાના હરિપર નજીક ટ્રક અડફેટે નંદાણાના આધેડનું ઘટનાસ્થળેજ મોત

Published

on

ટ્રકચાલકની ધરપકડ કરતી ખંભાળિયા પોલીસ


ખંભાળિયા સલાયા માર્ગ પર આવેલા હરીપર ગામે ગામ નજીક રાત્રિના સમયે પુર ઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 ટીવી 5296 નંબરના એક ટ્રકના ચાલક વાલાભાઈ રામજીભાઈ નકુમ (ઉ.વ. 44, રહે. નંદાણા) દ્વારા પોતાના ટ્રકને ગફલતભરી રીતે ચલાવતા આ માર્ગ પર મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા હુસેનભાઈ આદમભાઈ સંઘાર નામના યુવાનને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ તથા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવમાં તેમના મિત્ર દાઉદભાઈને પણ શરીરે ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ બનતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂૂરી વ્યવસ્થા કરી હતી.


આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે મૃતકના કુટુંબી ભાઈ હનીફભાઈ સુલેમાનભાઈ સંઘાર (ઉ.વ. 38, રહે. થરી પાડો) ની ફરિયાદ પરથી ટ્રકના ચાલક વાલાભાઈ નકુમ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેની અટકાયત કરી લીધી હતી. આ પ્રકરણ અંગે આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version