સૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવને ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ પર પરીક્ષા બાબતે કરેલા સરવેમાં તારણ
બોર્ડની પરીક્ષાને રૂટીન જીવનશૈલીમાં સમાવવા શિક્ષણવિદ્દોની વાલીઓને સલાહ
બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. બોર્ડની પરીક્ષાનું નામ સાંભળતા જ છાત્રો પણ થોડી ઘણી મુંજવણ અનુભવતા હોય અને તેનો હાવ કેવો છે તે ચહેરા પર આવતુ હોય છે ત્યારે એક અભ્યાસમાં તારણ આવ્યું છે કે બોર્ડની પરીક્ષાનું નામ સાંભળતા જ વિદ્યાર્થીઓના ધબકારા 55 ટકા જેટલા વધી જાય છે જે એક ગંભીર નિશાની ગણી શકાય ત્યારે ઘરના સભ્યોએ પણ પરીક્ષાને લઇને સાદગીસભર વ્યવહાર છાત્રો સાથે કરવો જોઇએ તેવો સુર શિક્ષણ વિદોમાં ઉઠયો છે.
આ સમયે બોર્ડની પરીક્ષાઓનો સમયગાળો ચાલી રહ્યો છે. બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ વિવિધ સમસ્યાઓ અનુભવે છે જેમાં મોટાભાગના લોકો ગભરામણ, અનિદ્રા અને ભૂખ ન લાગવાની ફરિયાદ કરે છે. આવા દર્દીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. મોટાભાગની ફરિયાદો એવા બાળકો તરફથી છે જેમની બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે. ડો. ધારા દોશીએ જણાવ્યું હતું કે આજકાલ આવા બાળકોની સંખ્યામાં વધારો થયો છે. આ બાળકો શારીરિક અને ભાવનાત્મક બંને રીતે પ્રભાવિત થઈ રહ્યા છે.
આ બાળકો ફરિયાદ કરે છે કે તેઓ પરીક્ષાને લઈને ગભરાટ અનુભવી રહ્યા છે. હું વાંચું છું, પણ મને યાદ નથી. પ્રશ્નપત્ર જોયા પછી, આપણે બીજું બધું ભૂલી જઈએ છીએ. જેમણે 90% ગુણ મેળવ્યા છે તેઓ ઓછા ગુણ મળવાની ચિંતામાં છે. તે જ સમયે, ભૂખ ન લાગવી, અનિદ્રા અને ગભરામણની ફરિયાદો પણ છે. એટલું જ નહીં, ઉલટી, પરસેવો અને ગળું સુકાવાનો ભય રહે છે.
ઘણા બોર્ડના વિદ્યાર્થીઓ જણાવે છે કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ તેમના અભ્યાસમાં દખલ કરે છે. મનોવિજ્ઞાન ભવનના સર્વેક્ષણમાં બોર્ડના વિદ્યાર્થીઓએ (360) છેલ્લા 1 થી 2 મહિનામાં માનસિક સ્વાસ્થ્ય મુદ્દાઓને તેમના શૈક્ષણિક પ્રદર્શનને નકારાત્મક રીતે અસર કરતા તરીકે ઓળખ્યા.
માનસિક સમસ્યા છાત્રને નિરાશ કરે છે
માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિદ્યાર્થીના ઉર્જા સ્તર, એકાગ્રતા, વિશ્વસનીયતા, માનસિક ક્ષમતા અને આશાવાદને અસર કરી શકે છે, જેનાથી પ્રદર્શનમાં અવરોધ આવે છે. પ્રોફેસર યોગેશ જોગસણ જણાવે છે કે ડિપ્રેશન નીચા ગ્રેડ પોઈન્ટ એવરેજ સાથે સંકળાયેલું છે, અને સહ-અસ્તિત્વમાં રહેલા ડિપ્રેશન અને ચિંતા આ જોડાણને વધુ ખરાબ કરી શકે છે. ડિપ્રેશનને કારણે શાળા છોડી દેવા મજબુર થવાનું પણ ઘણીવાર જોવા મળે છે.
-પ્રો.યોગેશ જોગસણ, ડિન મનોવિજ્ઞાન ભવન સૌ.યુનિ.
બોર્ડના વિદ્યાર્થીઓને થતી તકલીફનું તારણ
તણાવ ને કારણે અભ્યાસમાં તકલીફ પડે છે એવું 30% વિદ્યાર્થીઓએ જણાવ્યું.
ચિંતા ને કારણે અભ્યાસ બગડે છે એવું 22% એ જણાવ્યું.
ઊંઘની તકલીફ ને કારણે અભ્યાસ બગડે છે એવું 20% એ સ્વીકાર્યું..
હતાશા ને કારણે અભ્યાસ માં ધ્યાન ભટકે છે એવું 14% એ જણાવ્યું..
હતાશા અને ચિંતા સંબંધો પર હાનિકારક અસર કરે છે તેવું 63% વિદ્યાર્થીઓએ જણાવ્યું.
રૂૂમમેટ્સ, સહાધ્યાયીઓ, શિક્ષકો અને સ્ટાફ ગણ સાથે સંદેશાવહન કરવામાં 72% વિદ્યાર્થીઓ સમસ્યા અનુભવે છે.
ઘર અને પરિવારના સભ્યો બોર્ડ પરીક્ષા બોલે ત્યારે હ્રિદયના ધબકારા વધી જાય છે એવું 55% વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું.
જ્યારે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા વિદ્યાર્થીઓ અભ્યાસક્રમોમાં ખરાબ પ્રદર્શન કરે છે ત્યારે ભારણ અનુભવાય છે એવું 81% વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું.

