Site icon Gujarat Mirror

વાવ-થરાદ નવો જિલ્લો જાહેર, નવી નવ મહાનગરપાલિકાઓની જાહેરાત, હવે રાજ્યમાં 34 જિલ્લા

 

રાજ્યમાં વધુ એક જિલ્લો બનાવવાની સરકારે મંજૂરી આપી હતી. ત્યારે હવે ગુજરાતમાં 33 નહી પણ 34 જિલ્લા હશે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો જિલ્લો બનાવાશે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. સાથે આજે પાટણ, મહેસાણા, નવસારી, પારડી અને વાપી સહિતની 9 પાલિકાને નવી મહાનગરપાલિકા બનાવવાની સરકારે જાહેરાત કરી છે.

નવા વર્ષે જ બનાસકાંઠાવાસીઓને સરકાર દ્વારા ભેટ આપવામાં આવી છે. વાવ-થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં 13 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે.

હાલ બનાસકાંઠાનું વડુમથક પાલનપુર છે. વાવ-થરાદ નવો જિલ્લો જાહેર થતા તેમાં વાવ, સુઈગામ, થરાદ, દિયોદર, ભાભર, કાંકરેજનો સમાવેશ થશે. જ્યારે પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા, ધાનેરા અને વડગામ હાલના જિલ્લામાં જ રહેશે.

 

Exit mobile version