ઈરાનના લશ્કરી પ્રવક્તાએ બુધવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રહાર કરતા કહ્યું કે વોશિંગ્ટન પોતાની સાથે વાટાઘાટો કરી રહ્યું છે.
ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેહરાન પશ્ચિમ એશિયામાં યુદ્ધનો અંત લાવવા માટે એક સોદો કરવા માંગે છે તે પછી ઇરાને પ્રત્યાઘાતો આપ્યા હતા. દરમિયાન, યુદ્ધનો અંત લાવવા માટે 15-મુદ્દાની યોજના અમેરિકા દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને ઈરાનને મોકલવામાં આવી હતી.
“શું તમારા આંતરિક સંઘર્ષનું સ્તર તમારી સાથે વાટાઘાટો કરવાના તબક્કા સુધી પહોંચી ગયું છે?” ઈરાનના સશસ્ત્ર દળોના એકીકૃત કમાન્ડના પ્રવક્તા, ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટર, ઇબ્રાહિમ ઝોલ્ફાકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે “અમારા જેવા લોકો તમારા જેવા લોકો સાથે ક્યારેય સાથ આપી શકતા નથી.”
ઝોલ્ફાકારીએ ઉમેર્યું હતું કે જ્યાં સુધી વોશિંગ્ટન કહે નથી કે ઈરાની સશસ્ત્ર દળો માટે પ્રાદેશિક સ્થિરતાની ખાતરી આપવામાં આવે છે ત્યાં સુધી યુએસ રોકાણો અને યુદ્ધ પહેલાના ઊર્જાના ભાવ પાછા નહીં આવે. ઉલ્લેખનીય છે કે અખાતી યુધ્ધમાં વારંવાર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ દ્વારા એકપક્ષીય રીતે યુધ્ધવિરામ સહીતના જે નિવેદનો કરવામાં આવતા રહે છે તે અંગે ઇબ્રાહીમ ઝોલ્ફાકારીએ દુ:ખ વ્યકત કર્યું હતું.
અને કહ્યું હતું કે ટ્રમ્પ એક ઇમેચ્યોર (સગીર મુગ્ધ) પ્રેસિડેન્ટ છે.

