Site icon Gujarat Mirror

જામનગરના અંધાશ્રમ આવાસમાં રહેતી અપરિણીત યુવતી લાપત્તા

જામનગરમાં ચેમ્બર કોલોની નજીક અંધઆશ્રમ આવાસમાં રહેતી સ્નેહલબેન મુકેશભાઈ પરમાર નામની બારોટ જ્ઞાતિની 25 વર્ષ ની અપરણીત યૂવતી, કે જે પોતાના ઘેરથી સાયબર ક્રાઇમ પોલીસ નું ફોર્મ ભરવાનું કહીને નીકળ્યા બાદ એકાએક લાપતા બની ગઈ હતી. તેણીણી અનેક સ્થળે શોધખોળ કરી હતી, પરંતુ તેણીનો કોઈ પત્તો લાગ્યો ન હતો, ઉપરાંત તેણીનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો. આખરે સ્નેહલ બેન ની માતા શોભનાબેન મુકેશભાઈ પરમારે જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને ગઈકાલે રાત્રે પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એન. ત્રિવેદી દ્વારા સ્નેહલબેનની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. આ બનાવને લઈને તેણીનો પરિવાર ચિંતામાં મુકાયો છે.

Exit mobile version