Site icon Gujarat Mirror

જામનગરમાં ભાજપ અગ્રણીના બે પુત્રો ઉપર વાહન ખસેડવા બાબતે સશસ્ત્ર હુમલો

જામનગરમાં ગુલાબ નગર નજીક શ્યામ ટાઉનશીપ વિસ્તારમાં રહેતા અને શહેર ભાજપના પૂર્વ મહામંત્રી સ્વ. મહિપતસિંહ પરમારના બે પુત્ર અનિરુદ્ધસિંહ મહિપતસિંહ પરમાર તેમજ અમરદીપસિંહ મહિપતસિંહ પરમાર, કે જે ઓ ગઈકાલે સવારે 10.00 વાગ્યા આસપાસ શાકમાર્કેટ વિસ્તારમાં શાકભાજી ની ખરીદી કરવા માટે ગયેલા પોતાના માતા તેમ જ કાકા ને લેવા માટે ગયા હતા, જ્યાં રીક્ષા ચાલક સાથે વાહન સાઈડમાં રાખવા બાબતે તકરાર થઈ હતી.

દરમિયાન રીક્ષા ચાલક અને તેની સાથે મદદમાં દોડી આવેલા અન્ય બે સાગરીતોએ ઉશ્કેરાટમાં આવી જઈ બંને ભાઈઓ પર તિક્ષણ ધારદાર હથિયાર ના ઘા મારીને ઇજાગ્રસ્ત બનાવી દેતાં બંને ભાઈઓને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થવાથી સીટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે અને જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો હતો, અને ઇજાગ્રસ્ત અમરદીપસિંહ પરમાર ની ફરિયાદ ના આધારે જી.જે.10 ટી.ડબ્લ્યુ. 5809 નંબર ની રીક્ષા ના ચાલક અને તેના અન્ય બે સાગરીતો સામે ગુનો નોધ્યો છે. અને ફરાર થઈ ગયેલા ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જોકે સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે રિક્ષા ના નંબર ના આધારે હુમલાખોર આરોપીની ઓળખ કરી લીધી છે.

Exit mobile version