Site icon Gujarat Mirror

યુપીમાં બે એન્કાઉન્ટરમાં વધુ બે ખૂંખાર ગુનેગારો ઠાર

યુપી પોલીસ ગુનેગારો સામે ઝડપી કાર્યવાહી કરી રહી છે. 24 કલાકમાં એન્કાઉન્ટરમાં બે ગુનેગારો માર્યા ગયા છે. રવિવારની મોડી રાત્રે, લખનૌમાં કેબ લૂંટારો ગુરુસેવક માર્યો ગયો, જ્યારે સોમવારે વહેલી સવારે, મેરઠમાં પોલીસ દ્વારા વોન્ટેડ ગુનેગાર શહઝાદ ઉર્ફે નિક્કી માર્યો ગયો. આ એન્કાઉન્ટર મેરઠના સુરુરપુર પોલીસ સ્ટેશનના જંગલ વિસ્તારમાં થયું હતું. શહજાદ મૂળ મેરઠના બહસુમા વિસ્તારનો રહેવાસી હતો.

એવું કહેવાય છે કે શહજાદ બળાત્કાર સહિતના અનેક ગુનાઓમાં વોન્ટેડ હતો. પોલીસે તેના પર 25,000 રૂૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ગુપ્ત માહિતીના આધારે, પોલીસે તેને ઘેરી લીધો. જ્યારે તેને રોકવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે પોલીસ પર ગોળીબાર કર્યો. ત્યારબાદ, પોલીસે તેને સ્વ-બચાવમાં ગોળી મારી દીધી અને તે જમીન પર પડી ગયો. પોલીસે તેને પકડી લીધો અને હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાં થોડા સમય પછી ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. શહજાદ સાથે પોલીસ એન્કાઉન્ટર બાદ, પોલીસ અધિક્ષક (ગ્રામીણ) અભિજીત કુમાર સહિત મોટી પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ.

Exit mobile version