Site icon Gujarat Mirror

પોલીસમેનની હત્યામાં તાજના સાક્ષી ઉપર હુમલો કરનાર વધુ બેનો વરઘોડો કાઢયો

રાજકોટ શહેરમા અગાઉ પોલીસમેન ભરતભાઇ ગઢવીની હત્યામા તાજના સાક્ષી તરીકે જુબાની આપનારના ભાઇ સહીતના ત્રણ વ્યકિત પર ખુની હુમલો કરવામા આવ્યો હતો. આ ઘટનામા કોઠારીયા ગામ ગોકુલપાર્ક શેરી નં 3 મા રહેતા અને મજુરી કામ કરતા રમેશ દેવરાજભાઇ ગજેરાની ફરીયાદ પરથી આરોપી રાજા જાડેજા સહીત 9 શખ્સો સામે ગુનો નોંધવામા આવ્યો હતો. આ ઘટનામા ભકિતનગર પોલીસના પીઆઇ સરવૈયા અને ટીમે વધુ બે આરોપી મિલન બાવાજી અને ચીરાગ ઉર્ફે બકાલીને પકડી લઇ જાહેરમા વરઘોડો કાઢી કાયદાનુ ભાન કરાવ્યુ હતુ.

Exit mobile version