મોઢામાં કોળિયો આપી ઉછેરનાર માતા-પિતા માટે પુત્રો પાસે બે ટાઈમની રોટલી નથી: મનોવિજ્ઞાન ભવનના સરવેએ મોડર્ન યુગના વાસ્તવિકતા બતાવી
50 ટકા વૃદ્ધો એકલાતાના કારણે ડિપ્રેશનનો શિકાર બન્યા, 81 ટકા માટે તહેવાર એકલતાનું કારણ બન્યા
માનવીને સહારાની સૌથી વધારે જરૂર બાળપણ અને જીવનના અંતિમ પડાવમાં હોય છે. પરંતુ મોર્ડન જમાનામાં લાગણીના સેતુઓ નબળા પડી રહ્યા છે અને સ્વાર્થના સબંધો મજબૂત બની ગયા છે. બાળકો પોકાના માવતરને તરછોડી રહ્યા છે.
વદ્ધાશ્રમમાં રહેતા એક માતાના બે પુત્રો છે મોટા દિકરાએ માતાનો સમાન ઘરની બહાર ફેંકી દીધો અને ઘરમાંથી કાઢી મુક્યા જ્યારે બીજાઓ પોતાના ઘે જ આવવાની ના પાડી દીધી બીજી ઘટનામાં તીર્થસ્થળે લઈ જવાને બહાને પુત્ર માતાને બહાર છોડી આવ્યો જ્યારે ચાર પુત્રોએ માતામાંતી દુર્ગંધ આવતી હોવાનું કહી તરછોડી દીધા.
વ્યક્તિની આંખમાં આંસુ લાવી દે છે. પણ નવાઈની વાત એ છે કે આ વૃદ્ધ માતા-પિતાને આવી હાલતમાં લાવનારા લોકો બહારથી નહીં પણ આપણી વચ્ચેથી આવે છે. જેના કારણે ધરતી પર ભગવાનનું સ્વરૂૂપ કહેવાતા માતા-પિતાને સંતાનો સાથે સ્થળે સ્થળે ભટકવું પડે છે. ઘણી વખત, માતાપિતા તેમના બાળકોની સામે એટલા લાચાર બની જાય છે કે તેઓ થાકને કારણે પોતાનું જીવન સમાપ્ત કરી દે છે.
તે બાળકો કે જેના માટે માતા તેની બધી ઇચ્છાઓ બલિદાન આપે છે; તેથી તેમની ખુશી માટે બધું બલિદાન આપવા તૈયાર છે; જેના માટે પિતા રાત-દિવસ પરસેવો પાડે છે; જેની આંગળી પકડીને ચાલતા શીખવે છે; તમારા પગ પર ઊભા થતાં જ તમે બધું ભૂલી જાઓ છો. જેમ જેમ માતા-પિતા વૃદ્ધ થાય છે, જ્યારે તેમને તેમની સૌથી વધુ જરૂૂર પડે છે, ત્યારે તે જ બાળકો તેમના માતાપિતાને બોજ માનવા લાગે છે અને કદાચ તેથી જ આજે દેશમાં વૃદ્ધાશ્રમ ઓછા થતા જાય છે.
આધુનિકતાની આંધળી દોડમાં દોડતા આપણે આપણી ફરજો અને મૂલ્યો કેમ ભૂલી રહ્યા છીએ? જ્યારે તેઓએ આપણને ક્યારેય એકલા છોડ્યા નથી, તો પછી આપણે એટલા સ્વાર્થી કેવી રીતે બની જઈએ છીએ કે આપણે તેમને કંઈપણ વિચાર્યા વિના લાચાર સ્થિતિમાં છોડી દઈએ છીએ. જ્યારે આપણે બધા જાણીએ છીએ કે વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોને અનેક પ્રકારની શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કરાયેલા સર્વે મુજબ 45 થી 50 ટકા વૃદ્ધોમાં આવા લક્ષણો જોવા મળે છે જે તેમને ડિપ્રેશનનો શિકાર બનાવે છે. મોટી સંખ્યામાં વૃદ્ધો એકલા રહેવા માટે મજબૂર છે, ખાસ કરીને વિધવા મહિલાઓ. માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ કોઈપણ ઉંમરે દુ:ખદાયક હોઈ શકે છે. લોકો ઘણીવાર માને છે કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વય સાથે વધુ ખરાબ થાય છે, જો કે આ સાચું નથી. જો કે એવી ઘણી માનસિક પરિસ્થિતિઓ છે જે વૃદ્ધોને વધુ જોખમમાં મૂકે છે, સત્ય એ છે કે માનસિક અથવા મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિઓ કોઈપણ ઉંમરે દેખાઈ શકે છે. વહેલું નિદાન અને અસરકારક સારવાર છે.
ઘરથી દૂર રહેતા બાળકો અને વૃદ્ધ માતા-પિતાની વિચારસરણીમાં રહેલી અસમાનતા ઘણા પ્રશ્નો ઉભા કરે છે. જ્યારે બાળકો તેમના વૃદ્ધ માતાપિતાના સ્વાસ્થ્ય વિશે યોગ્ય રીતે ચિંતિત હોય છે, ત્યારે સામાજિક જીવન વિશે માતાપિતાની ચિંતા અને દૈનિક જરૂૂરિયાતો પૂરી કરવામાં મુશ્કેલી માનસિક સ્વાસ્થ્ય તરફ નિર્દેશ કરે છે.
2340 વૃદ્ધો પર કરેલ સરવેના તારણો..
25% વૃદ્ધ લોકો ચિંતા અથવા ડિપ્રેશન જેવી માનસિક સ્વાસ્થ્ય સ્થિતિથી પીડાય છે.
91.6% લોકોએ કહ્યું કે મોબાઈલ કે ટીવી જોવા અથવા વાંચવાથી માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.
54% વૃદ્ધો ભૌતિક સુખ સુવિધાઓની સમસ્યાઓ અનુભવે છે.
72% વૃદ્ધો પરિવાર તૂટવાથી એટલે કે દીકરાઓ સયુંકત ન રહેતા અલગ થવાથી સમસ્યાઓ અનુભવે છે.
45% વૃદ્ધો કોઈને કોઈ શારીરિક બીમારીની સમસ્યાઓ અનુભવે છે.
53% વૃદ્ધો પારિવારિક અને સામાજિક સમસ્યાઓ અનુભવે છે.
64% વૃદ્ધો ઘર અને સમાજમાં અનાદર ની સમસ્યાઓ અનુભવે છે.
64.80% એટલે કે લગભગ 65% વૃદ્ધો પરાવલંબી (અન્ય પર આધારિત રહેવાની બાબત ) પણા નો અનુભવ કરે છે.
64% વૃધ્ધો સતત સ્ટ્રેસ અનુભવે છે.
71% વૃધ્ધો આવેગિક રીતે સ્વસ્થતા અનુભવતા નથી.
81% વૃધ્ધો એ જણાવ્યું કે તહેવારો એકલતા અને માયુસી લાવે છે કેમ કે તહેવારોમાં દીકરા દીકરીઓ બહાર ફરવા જતા રહે છે માટે.
51% વૃધ્ધો એ જણાવ્યું કે દિવાળી અને સાતમ આઠમમાં બહાર ફરવા જતા યુવાન દીકરા દીકરીની સતત ચિંતા રહેવાથી બેચેની રહે છે.
વૃદ્ધ લોકો પોતાના માનસિક સ્વાસ્થ્યને કેવી રીતે સુરક્ષિત અને સુધારી શકે ?
- જો જરૂૂર હોય તો સારવાર કરાવો:
- મીડિયાનો ઉપયોગ મર્યાદિત કરો:
- તંદુરસ્ત પ્રવૃત્તિઓમાં ભાગ લો
- દરરોજ રાત્રે સાતથી નવ કલાકની ઊંઘ લો.
- સ્વસ્થ અને સંતુલિત આહાર લો.
- તમારા શરીર અને મનની કસરત કરો. ધ્યાન, ચાલવું, બાગકામ અને સમૂહ કસરતના વર્ગો માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
- દરરોજ તમારી દવાઓ સમયસર લો:
- દિનચર્યાનું પાલન કરો:
9 સામાજિક રીતે જોડાયેલા રહો - સકારાત્મક રહેવાનો પ્રયાસ કરો અને જીવનમાં સરળ વસ્તુઓનો આનંદ માણો.