સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે. જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાય ગયો હતો અને જેના કારણે આ દુર્ઘટના સર્જાય છે. મૃતકોમાં એક પરુષ અને બે મહિલા સહિત ત્રણના મોત થયાં છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. તપાસ હાથ ધરી છે.

