Site icon Gujarat Mirror

‘પ્લેનમાં કોઈ ટેકનિકલ કે મેઈન્ટેનન્સ સમસ્યા નહોતી’, અમદાવાદ વિમાન દુર્ઘટનાના રીપોર્ટ પર એર ઇન્ડિયાના CEOની પહેલી પ્રતિક્રિયા

 

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના અંગે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રારંભિક અહેવાલ પર એરલાઇનના CEO અને MD કેમ્પબેલ વિલ્સનની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે આ અહેવાલમાં, અકસ્માતનો ભોગ બનેલા એર ઇન્ડિયાના વિમાન AI171માં કોઈ ટેકનિકલ કે મેઈન્ટેનન્સ સંબંધિત સમસ્યા જોવા મળી નથી.

https://x.com/ANI/status/1944651041682985414

એર ઇન્ડિયાના CEOએ કહ્યું, ‘વિમાન કે એન્જિનમાં કોઈ ટેકનિકલ કે મેઈન્ટેનન્સ સંબંધિત ખામી જોવા મળી નથી. જરૂરી તમામ જાળવણી કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. ઇંધણની ગુણવત્તામાં કોઈ સમસ્યા નહોતી. ટેકઓફ રોલમાં કોઈ અસામાન્યતા જોવા મળી ન હતી. બંને પાઇલોટ્સે ફ્લાઇટ પહેલાં આલ્કોહોલ ટેસ્ટ પાસ કર્યો હતો અને તેમની તબીબી સ્થિતિ સામાન્ય હતી.’

CEO એ એ પણ સ્પષ્ટતા કરી કે ફ્લાઇટ પહેલાં પાઇલોટ્સે જરૂરી બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ પાસ કર્યો હતો અને તમામ ફરજિયાત જાળવણી કાર્ય સમયસર કરવામાં આવ્યું હતું. ટેક-ઓફ પ્રક્રિયામાં પણ કોઈ અનિયમિતતા જોવા મળી ન હતી.

કેમ્પબેલ વિલ્સને કહ્યું કે એર ઇન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોનું DGCA ની દેખરેખ હેઠળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને બધા ઉડાન માટે યોગ્ય હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ પ્રક્રિયા હજુ પણ ચાલુ છે અને તેમણે કહ્યું કે પ્રારંભિક અહેવાલમાં હજુ સુધી કોઈ કારણ કે ભલામણનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, તેથી કોઈ નિષ્કર્ષ કાઢવો જોઈએ નહીં.

સીઈઓએ કર્મચારીઓને આ અપીલ કરી

વિલ્સને કહ્યું કે અહેવાલમાં કોઈ કારણ કે ભલામણ આપવામાં આવી નથી. તેમણે કર્મચારીઓને કહ્યું કે તપાસ હજુ પૂર્ણ થઈ નથી તેથી અકાળે નિષ્કર્ષ ન કાઢો.

અહેવાલમાં ખુલાસો થયો કે પ્લેન નંબર AI171 યોગ્ય રીતે ઉડાન ભરી હતી. આ પછી બધું સામાન્ય હતું અને તે જરૂરી ઊંચાઈએ પણ પહોંચી ગયું હતું, પરંતુ અચાનક બંને એન્જિનના ફ્યુઅલ કટઓફ સ્વીચ ‘RUN’ થી ‘CUTOFF’ પર ખસી ગયા અને એન્જિનને ઇંધણ મળવાનું બંધ થઈ ગયું. જ્યારે ઇંધણ એન્જિન સુધી પહોંચ્યું નહીં, ત્યારે પ્લેન ઉડી શક્યું નહીં અને ક્રેશ થયું.

Exit mobile version