Site icon Gujarat Mirror

ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇના જીવનની કોઇ ગેરંટી નથી

ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના સતત હુમલાઓ વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું હતું કે સુન્ની અને શિયા બંને ઉગ્રવાદીઓ છે અને સમગ્ર વિશ્વ માટે ખતરો છે. “આપણે એમ કહી શકતા નથી કે આ સમસ્યા ખુદ જ ઉકેલાઈ જશે. હિઝબુલ્લાહ અંગે, તેમણે કહ્યું, અમે લેબનીઝ સરકારને ચેતવણી આપી છે કે તેઓ આગ સાથે રમી રહ્યા છે.

જો તેઓ હિઝબુલ્લાહને નિ:શસ્ત્ર કર્યા વિના કામ કરવા દેશે, તો તેનો અર્થ એ છે કે તેઓ પોતાનું ભાગ્ય જાતે પસંદ કરી રહ્યા છે. જો તેઓ પગલાં નહીં લે, તો અમે પગલાં લઈશું.” નેતન્યાહૂએ કહ્યું, “હું જમીન પર આ કેવી રીતે કરવામાં આવશે તે અંગે વિગતવાર જણાવીશ નહીં, પરંતુ હું તમને ખાતરી આપું છું કે હિઝબુલ્લાહને ભારે કિંમત ચૂકવવી પડશે.”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ઈઝરાયલ ઈરાનમાં વિરોધી જૂથોને હથિયાર આપવાનું કામ કરી રહ્યું છે, ત્યારે નેતન્યાહૂએ કહ્યું, હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું છું કે ઈરાની લોકોના પ્રયાસો વિના શાસનને ઉથલાવી શકાશે નહીં, અને અમે તેમને આ વાતની જાણ કરી છે. અમે તેમને કહ્યું છે કે મદદ મળવાની છે.” તેમણે વધુમાં કહ્યું, “હું તમને કહી શકતો નથી કે અંતે શું થશે. હું તમને કહીશ નહીં. અમે જાણીએ છીએ અને સમજીએ છીએ કે તમે પણ આશા રાખો છો કે આ શાસનનું પતન થશે. જો તે નહીં થાય, તો તે ખૂબ જ નબળું પડી જશે, પરંતુ જો તે પડશે, તો સમસ્યા હલ થઈ જશે.”

ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ કહ્યું, “મેં તમને વચન આપ્યું હતું, દુશ્મનો અને મિત્રો, કે આપણે સમગ્ર મધ્ય પૂર્વ બદલીશું, અને ઇઝરાયલ પહેલા કરતા વધુ મજબૂત બનશે. હવે દરેક વ્યક્તિ આ વાતને ઓળખી રહી છે, આપણા પડોશીઓ સહિત, પછી ભલે તે દુશ્મન હોય કે મિત્રો.

ઈરાનના નવા સુપ્રીમ લીડરને ચેતવણી આપતા, ઇઝરાયલી પ્રધાનમંત્રીએ કહ્યું કે મોજતબા ખામેનીના જીવનની કોઈ ગેરંટી નથી. ઇઝરાયલ હવે પહેલા કરતા વધુ મજબૂત છે.

નેતન્યાહૂએ કહ્યું કે તેમના (મુજતબા ખામેનીના) જીવન વીમા નથી. જ્યારે પત્રકારોએ પૂછ્યું કે શું ઇઝરાયલ મોજતબા ખામેનીના અને હિઝબુલ્લાહના નેતા નઈમ કાસેમને નિશાન બનાવશે, ત્યારે તેમણે જવાબ આપ્યો, “હું કોઈપણ આતંકવાદી સંગઠનના નેતાઓ માટે જીવન વીમા પોલિસી નહીં લઉં; તેમના જીવનની કોઈ ગેરંટી નથી.

Exit mobile version