Site icon Gujarat Mirror

દ્વારકાની ધરતી પરથી 2025નો છેલ્લો સૂર્યાસ્ત

ભારતનું પશ્ચિમ દિશાનું છેવાડાના સ્થળે આવેલ યાત્રાધામ દ્વારકામાં આજે વર્ષ 202પનો અંતિમ દિન હોય દ્વારકાધીશજીના સાનિધ્યમાં ભારતની ભૂમિ પર વર્ષ 202પના સૂર્યના છેલ્લા કિરણને નિહાળવાનો અનેરો લહાવો લેવા આજે સંધ્યા સમયે દ્વારકાના સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દ્વારકાના સનસેટ પોઈન્ટ એક દર્શનીય પર્યટન સ્થળ હોય કુદરતના ખોળે વિતેલા વર્ષના સંભારણાને યાદ કરી સનસેટને નિહાળવા દર વર્ષે સહેલાણીઓ એકત્ર થઈ સનસેટ સાથે સેલ્ફી લેતાં જોવા મળે છે. (તસવીર : અશોક ભાતેલિયા)

Exit mobile version