Site icon Gujarat Mirror

બ્રિટનમાં વસતા 90 લાખ મુસ્લિમોની નાગરિકતા પર જોખમ

સરકારની અમર્યાદિત અને ગુપ્ત સત્તા હોવાથી આવું બનવાની ચેતવણી

બ્રિટનમાં નાગરિકત્વ છીનવી લેવા સંબંધિત નવી ગુપ્ત સત્તાઓ, લાખો મુસ્લિમોને તેમની નાગરિકતાથી વંચિત કરી શકે છે. બ્રિટનમાં લાખો મુસ્લિમોના માતાપિતા વિદેશમાં જન્મેલા છે. આવા મુસ્લિમો તેમની બ્રિટિશ નાગરિકતા ગુમાવી શકે છે. રિપ્રીવ અને રનિમેડ ટ્રસ્ટ નામના સંગઠનના અહેવાલમાં આ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. અહેવાલમાં જણાવાયું છે કે, બ્રિટિશ ગૃહ સચિવ શબાના મહમૂદને તેમની નાગરિકતા છીનવી લેવા માટે આપવામાં આવેલી સત્તાઓનો દુરુપયોગ થઈ શકે છે.

મિડલ ઇસ્ટ આઇના અહેવાલ અનુસાર, બ્રિટિશ નાગરિકત્વ છીનવી લેવાની સત્તાઓ અતિશય અને ગુપ્ત છે. ગુરુવારે પ્રકાશિત થયેલા એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે કે. ગૃહ સચિવ શબાનાના નિર્ણયને કારણે બ્રિટનમાં આશરે નવ મિલિયન એટલે કે 90 લાખ મુસ્લિમ લોકો, કે જે બ્રિટનની કુલ વસ્તીના 13 ટકા છે, તેઓ તેમની નાગરિકતા ગુમાવી શકે છે. આ અહેવાલથી મુસ્લિમ વસ્તીના મોટા વર્ગમાં વ્યાપક ચિંતા ફેલાઈ છે.
મીડિયા અહેવાલ મુજબ, બ્રિટનમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, સોમાલિયા, નાઇજીરીયા, ઉત્તર આફ્રિકા અને મધ્ય પૂર્વના મુસ્લિમોની વસ્તી નોંધપાત્ર છે. નવો કાયદો નાગરિકતા માટે વંશીય ભેદભાવપૂર્ણ પ્રણાલી બનાવે છે.

મુસ્લિમોનો બ્રિટનમાં રહેવાનો અધિકાર તેમની ઓળખ પર આધાર રાખે છે. બ્રિટિશ નાગરિકો માટે આ નથી.
મિડલ ઇસ્ટ આઇએ, રિપ્રીવના માયા ફોઆને ટાંકિને રજૂ કરેવા અહેવાલમાં જણાવ્યું હતું કે, પાછલી સરકારે રાજકીય લાભ માટે બ્રિટિશ ટ્રાફિકિંગ પીડિતોને તેમની નાગરિકતા છીનવી લીધી હતી. વર્તમાન સરકારે આ સત્તાઓનો વધુ વિસ્તાર કર્યો છે. રનીમીડ ટ્રસ્ટના સીઈઓ શબનાએ જણાવ્યું હતું કે, હોમ ઓફિસના વિવેકબુદ્ધિથી નાગરિકતા રદ કરવી એ એક ભયાનક વલણ છે. જેને સંબોધિત કરવાની જરૂૂર છે.

 

બ્રિટનમાં 10 લાખ ભારતીય મુસ્લિમો
રેપ્રિવ અને રનિમેડના વિશ્ર્લેષણ દર્શાવે છે કે, ભારત ( 9, 84, 000 લોકો) અને પાકિસ્તાન ( 6, 79, 000 લોકો) ના લોકો, બાંગ્લાદેશ જેવા અન્ય એશિયન જૂથો સાથે, સૌથી વધુ પ્રભાવિત થવાની સંભાવના છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નાગરિકત્વ રદ કરવાનો ઉપયોગ લાંબા સમયથી ફક્ત યુદ્ધના અપવાદરૂૂપ કિસ્સાઓમાં જ થતો હતો, પરંતુ છેલ્લા બે દાયકામાં તે સામાન્ય બની ગયું છે.

Exit mobile version