Site icon Gujarat Mirror

સોમનાથ જિલ્લામાંથી પુરવઠા તંત્રના દરોડામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો

જીલ્લા કલેકટર એન.વી. ઉપાઘ્યાય ની સુચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા તથા ઉના તાલુકામાં અલગ – અલગ જગ્યાએ શંકાસ્પદ સરકારી અનાજ સગેવગે કરતા હોવાની બાતમીના આધારે પુરવઠા તંત્રની ટીમ દ્વારા તપાસ કરતા વેરાવળ, સુત્રાપાડા તથા ઉના તાલુકાના અલગ – અલગ વિસ્તારો માંથી ઘઉં-1320 કિ.ગ્રા., ચોખા-590 કિ.ગ્રા., ચણા-960 કિ.ગ્રા., વજન કાટો-1, રિક્ષા-2 તથા બોલેરો પીકપ વાહન-1 એમ કુલ મળી રૂૂા.7,56,090/- નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

Exit mobile version