Site icon Gujarat Mirror

ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત: લોકોને પરેશાની

ભાવનગર શહેરમાં મહાપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાના દાવા વચ્ચે શહેરના દરેક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહેવા પામ્યો છે. શહેરના કુંભારવાડામાં ખૂંટિયાઓનુ ઘીંગાણું જામ્યું હતું. આથી પગપાળા નીકળતા લોકો અને વાહનચાલકો ભયભીત થયા હતા. લાંબા સમય સુધી આ ધીંગાણું શરૂૂ રહેતા અનેક વાહનચાલકોને રસ્તા પર સલામત રીતે થોભી જવુ પડયું હતું. ખૂંટિયાઓ ઉપરાંત ગાયો પણ રસ્તા પર અડીંગો જમાવી દે છે. આથી લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે. (વિપુલ હિરાણી)

Exit mobile version