Site icon Gujarat Mirror

ચુનારાવાડમાં જૂની અદાવતમાં યુવાન પર પથ્થરમારો,બે શખ્સો સામે ફરિયાદ

oplus_2097184

શહેરના લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ ચુનારવાડામાં ગઈકાલે બપોરના સમયે જૂની અદાવતને લીધે હુમલો થવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અહીં રહેતા 25 વર્ષીય રિક્ષાચાલક યુવાન ઉમેશભાઈ જગદીશભાઈ ડાભી જ્યારે પોતાના ઘર પાસે હાજર હતા, ત્યારે વિસ્તારના જ ચંદન બાબાજી અને હોઠીયો નામના બે શખ્સોએ અચાનક આવી કોઈ કારણોસર ઝઘડો શરૂ કર્યો હતો. બોલાચાલી ઉગ્ર બનતા બંને શખ્સોએ ઉશ્કેરાઈને ઉમેશભાઈ પર પથ્થરો વડે હુમલો કરી દીધો હતો, જેમાં યુવાનને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક અસરથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

હુમલા પાછળનું કારણ તપાસતા સામે આવ્યું છે કે આ વિવાદના મૂળ દોઢ વર્ષ જૂના એક જૂના ઝઘડામાં રહેલા છે. તે સમયે ઉમેશભાઈના મોટાભાઈ પરેશભાઈ જ્યારે બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓ દ્વારા ગાળાગાળી કરી માથાકૂટ કરવામાં આવી હતી. એ જ જૂના વેરની દાઝ રાખીને ગઈકાલે બપોરે ચારેક વાગ્યે ફરી હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે હોસ્પિટલ ચોકી દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવાન રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે આ હુમલાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

Exit mobile version