Site icon Gujarat Mirror

વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા પ્રત્યે શાહરૂખ-આમિર ખાનની સંવેદના

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂૂખ ખાન અને આમિર ખાને અમદાવાદ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. બંને સ્ટાર્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે તેઓ આ અકસ્માત વિશે સાંભળીને આઘાત પામ્યા છે. આ ઉપરાંત, શાહરૂૂખ અને આમિરે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

શાહરૂૂખ ખાને એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે તેઓ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારો સાથે છે. તેમણે લખ્યું અમદાવાદમાં થયેલા અકસ્માતના સમાચાર સાંભળીને મારું હૃદય તૂટી ગયું છે. પીડિતો, તેમના પરિવારો અને અસરગ્રસ્ત તમામ લોકો માટે મારી પ્રાર્થનાઓ.

તે જ સમયે, આમિર ખાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું- આજે થયેલી દુ:ખદ વિમાન દુર્ઘટનાથી અમે ખૂબ જ દુ:ખી છીએ. આ મોટી નુકસાનની આ ઘડીમાં અમારી સંવેદના અસરગ્રસ્ત પરિવારો સાથે છે. અમે આ વિનાશક ઘટનાથી પ્રભાવિત વ્યક્તિઓ, સમુદાયો અને રિસ્પોન્ડર્સ સાથે એકતાથી ઉભા છીએ.

Exit mobile version