Site icon Gujarat Mirror

3 ઇડિયટસ-2માં રણછોડ, ફરહાન અને રાજુ આપશે ‘જીવન’ની પરીક્ષા

વર્ષ 2009માં જ્યારે રાજકુમાર હિરાનીની ફિલ્મ ’3 ઇડિયટ્સ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ ફિલ્મ માત્ર બોક્સ ઓફિસના રેકોર્ડ જ નહીં તોડે, પરંતુ પેઢીઓ સુધી મિત્રતાનું પર્યાય બની જશે. રણછોડદાસ ચાંચડ (ફુનસુખ વાંગડુ), ફરહાન અને રાજુની તીકડીએ કોલેજના દિવસોમાં જે મસ્તી અને જીવનને જોવાનો જે નવો દ્રષ્ટિકોણ આપ્યો હતો, તે આજે પણ દર્શકોના દિલમાં તાજો છે.

હવે, આટલા વર્ષોની રાહ જોયા બાદ, દિગ્દર્શક રાજકુમાર હિરાનીએ ‘3 ઇડિયટ્સ 2’ વિશે જે અપડેટ આપ્યું છે, તેણે ફિલ્મ પ્રેમીઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચાડી દીધો છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે સિક્વલની વાર્તા કોલેજના ગલિયારાઓમાંથી બહાર નીકળીને અસલી જીવનની એ ગલીઓમાં જશે, જ્યાં જવાબદારીઓનો બોજ હોય છે.

હિરાનીના મતે, ફિલ્મનો આગળનો ભાગ કોલેજ લાઇફની વાર્તા નહીં, પરંતુ મધ્ય-વયનું સંકટ પર કેન્દ્રિત હશે.કલ્પના કરો, આજથી 15-20 વર્ષ પછી રણછોડ, ફરહાન અને રાજુનું પણ એ જ ગૂંચવણોમાં મૂકી દીધા છે જેની સાથે આજનો દરેક મધ્યમવર્ગીય વ્યક્તિ ઝઝૂમી રહ્યો છે? હિરાનીનું કહેવું છે કે સિક્વલમાં ત્રણેય મિત્રોનું લગ્નજીવન અને તેમના બાળકો સાથેના સંબંધો દર્શાવવામાં આવશે. એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે જે લોકો પોતે ‘એન્જિનિયરિંગની રેસ’માંથી લડીને નીકળ્યા હતા, તેઓ આજે પોતાની કારકિર્દી, ઘરની EMI, બાળકોનો ઉછેર અને સામાજિક દબાણ વચ્ચે પોતાની જાતને કેવી રીતે સંભાળી રહ્યા છે.
આ વખતે પડકાર માત્ર પરીક્ષા પાસ કરવાનો નહીં, પરંતુ જીવનની સૌથી અઘરી પરીક્ષા ‘જિંદગી’ જીવવાનો હશે.

Exit mobile version