Site icon Gujarat Mirror

બાંગ્લાદેશમાં કોર્ટ બહાર પ્રદર્શન, હિંદુ પૂજારીના વકીલની હત્યા

ચિન્મય કૃષ્ણ દાસના સમર્થકોએ જેલવાન અટકાવી ત્યારે અલીફને મારી નખાયા

મંગળવારે બાંગ્લાદેશની કોર્ટની બહાર ઉગ્ર વિરોધ વચ્ચે હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કરતા વકીલની હત્યા કરવામાં આવી હતી. ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના વિરોધમાં બાંગ્લાદેશમાં ચિત્તાગોંગ કોર્ટની બહાર એક મોટી ભીડ ભેગી થઇ હતી, જેમાં મોટાભાગના હિંદુઓ હાજર હતા. પોલીસે તેમના પર કાર્યવાહી કરી અને તેમના પર ગોળીબાર કર્યો હતો.


બાંગ્લાદેશ સમાજહિતો સનાતન જાગરણ જોટના નેતા ચિન્મય કૃષ્ણ દાસના સમર્થકોએ તેને જેલમાં લઈ જતી જેલ વાનને અટકાવી ત્યારે સૈફુલ ઈસ્લામ અલીફની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે તેમને વિખેરવા માટે સાઉન્ડ ગ્રેનેડ છોડ્યા હતા. ઓછામાં ઓછા 7-8 અન્ય ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ છે.


બાંગ્લાદેશ સમાજહિતો સનાતન જાગરણ જ્યોતના નેતા ચિન્મય કૃષ્ણ દાસના સમર્થકોએ તેમને જેલમાં લઈ જતી જેલ વાનને અટકાવી ત્યારે સૈફુલ ઈસ્લામ અલીફની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે ભીડને વિખેરવા માટે સાઉન્ડ ગ્રેનેડ છોડ્યા હતા. ઓછામાં ઓછા 7-8 અન્ય ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ છે. સોશિયલ મીડિયા પરના કેટલાક વીડિયોમાં પોલીસ અને ધરપકડ કરાયેલા ઈસ્કોન સાધુ ચિન્મય કૃષ્ણ દાસના સમર્થકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.

Exit mobile version