Site icon Gujarat Mirror

પી.એમ. મોદી 31મીએ ફરી ગુજરાતમાં, વાવ-થરાદમાં જંગી જાહેરસભા યોજશે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પ્રવાસથી રાજકીય ગરમાવો

રાજયસભામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીનો માહોલ જામી રહ્યો છે. તેવા સમયે વડાપ્રધાન મોદી આગામી તા.31ના ગુજરાતના પ્રવાસે આવી રહ્યાની અને નવરચિત વાવ-થરાદ જીલ્લામાં જાહેરસભાનું પણ આયોજન ગોઠવાય રહ્યાનું જાણવા મળે છે.

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મોદીના એક દિવસીય પ્રવાસનું આયોજન હાલ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે.
આ પ્રવાસની સૌથી મહત્વની બાબત એ છે કે, વડાપ્રધાન નવરચિત વાવ-થરાદ જિલ્લાની મુલાકાત લઈ શકે છે. આગામી 31મી તારીખે મોદી આ નવા જિલ્લામાં એક જંગી સભાને સંબોધિત કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. નવરચિત જિલ્લાની જાહેરાત બાદ વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત હોવાથી સ્થાનિક કાર્યકરો અને જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પ્રવાસ દરમિયાન તેઓ અન્ય કેટલાક સરકારી કાર્યક્રમોમાં પણ હાજરી આપી શકે છે અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કે ખાતમુહૂર્ત કરી શકે છે. ઉત્તર ગુજરાતના આ મહત્વના પટ્ટામાં ઙખની હાજરીથી પક્ષના સંગઠનને નવી ઉર્જા મળશે. વહીવટી તંત્ર દ્વારા વડાપ્રધાનના આ એક દિવસીય પ્રવાસને લઈને તડામાર તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે.

Exit mobile version