સાવરકુંડલા,સ્વતંત્રતા પર્વ ની ઉજવણી અંતર્ગત, અમરેલી જિલ્લા ભાજપના નિર્દેશન હેઠળ સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ કાર્યક્રમ હેઠળ આયોજિત આ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમણે દેશભક્તિનો અનોખો માહોલ ઊભો કર્યો હતો. સાવરકુંડલા શહેર યુવા ભાજપ, મહિલા મોરચા, વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આયોજિત આ યાત્રામાં સાવરકુંડલા નગરપાલિકાના સદસ્યો, શહેર ભાજપના તમામ સંગઠન, હોમગાર્ડ જવાનો, પોલીસ કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.

