Site icon Gujarat Mirror

સાવરકુંડલામાં નીકળેલ તિરંગા યાત્રામાં દેશભક્તિના માહોલમાં લોકો જોડાયા

સાવરકુંડલા,સ્વતંત્રતા પર્વ ની ઉજવણી અંતર્ગત, અમરેલી જિલ્લા ભાજપના નિર્દેશન હેઠળ સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સ્વચ્છતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ કાર્યક્રમ હેઠળ આયોજિત આ યાત્રામાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા, જેમણે દેશભક્તિનો અનોખો માહોલ ઊભો કર્યો હતો. સાવરકુંડલા શહેર યુવા ભાજપ, મહિલા મોરચા, વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આયોજિત આ યાત્રામાં સાવરકુંડલા નગરપાલિકાના સદસ્યો, શહેર ભાજપના તમામ સંગઠન, હોમગાર્ડ જવાનો, પોલીસ કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા.

Exit mobile version