Site icon Gujarat Mirror

દેવા પર જીવતો દેશ આતંકવાદ, ઉગ્રવાદમાં ડૂબી ગયો છે: ભારતે પાક.ને યુએનમાં ધોઇ નાખ્યું

પડોશી દેશ પાકિસ્તાન ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્રમાં શરમજનક બન્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની બેઠકમાં, ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આડે હાથ લીધું અને તેને અરીસો બતાવ્યો.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ, પર્વતાનેની હરીશે આતંકવાદને ટેકો આપવા અને તેની અર્થવ્યવસ્થાને બગાડવા બદલ પાકિસ્તાનની ટીકા કરી. શાંતિ અને બહુપક્ષીયતા પર ઉચ્ચ સ્તરીય ચર્ચામાં ભાગ લેતી વખતે, ભારતે પાકિસ્તાનને IMF પાસેથી વારંવાર લોન લેતો દેશ અને ઉગ્રવાદ અને આતંકવાદમાં ડૂબેલો દેશ ગણાવ્યો.

તેમણે કહ્યું કે એક તરફ ભારતમાં પરિપક્વ લોકશાહી, ઉભરતી અર્થવ્યવસ્થા અને સમાવેશી સમાજ છે. બીજી તરફ, પાકિસ્તાન ઉગ્રવાદ અને આતંકવાદમાં ડૂબેલું છે, જે IMF લોન પર ચાલી રહ્યું છે. તે વારંવાર IMF પાસેથી લોન લે છે. જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાની ચર્ચા કરી રહ્યા છીએ,
ત્યારે એ સમજવું મહત્વપૂર્ણ છે કે કેટલાક મૂળભૂત સિદ્ધાંતોનું સાર્વત્રિક રીતે સન્માન કરવું જોઈએ. આમાંનો એક સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા છે, જે પાકિસ્તાન માટે યોગ્ય નથી.

પર્વતનેની હરીશે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ટાંકીને આતંકવાદી કેસોમાં જવાબદારીની જરૂૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે સરહદપાર આતંકવાદને પ્રોત્સાહન આપીને સારા પડોશી અને આંતરરાષ્ટ્રીય સંબંધોની ભાવનાનું ઉલ્લંઘન કરનારા દેશોએ તેની ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું હતું કે આતંકવાદને કોઈપણ સંજોગોમાં સહન કરી શકાય નહીં. અગાઉ, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દો અને સિંધુ જળ સંધિ પર ભારત સાથે ચાલી રહેલા વિવાદને ઉઠાવ્યો હતો.

Exit mobile version