Site icon Gujarat Mirror

પડધરી રેલવે સ્ટેશનનું રૂા.7.59 થશે નવીનીકરણ

પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુખદ અને સુરક્ષિત મુસાફરીની દિશામાં એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરવામાં આવી છે. ’અમૃત ભારત સ્ટેશન યોજના’ (ABSS) અંતર્ગત ₹7.59 કરોડના ખર્ચે પડધરી સ્ટેશનનું વ્યાપક પુન:વિકાસ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે આ સ્ટેશન માત્ર આધુનિક સુવિધાઓથી સજ્જ નથી, પરંતુ તેની નવી ભવ્ય સ્થાપત્ય કલા સાથે સૌરાષ્ટ્રની રેલ કનેક્ટિવિટીને નવી ઊંચાઈ પ્રદાન કરી રહ્યું છે.સ્ટેશનને સંપૂર્ણપણે ’દિવ્યાંગજન અને વડીલો માટે અનુકૂળ’ બનાવવામાં આવ્યું છે. વિસ્તૃત સર્ક્યુલેટિંગ એરિયાના વિકાસથી સ્ટેશન પરિસરમાં વાહનોની અવરજવર સરળ અને વ્યવસ્થિત બનશે. સ્ટેશનને નીચે મુજબની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે:

ભવ્ય સ્ટેશન બિલ્ડિંગનો 3600 ચોરસ ફૂટમાં ફેલાયેલી આધુનિક સ્થાપત્ય શૈલીથી નિર્મિત નવી ઇમારત, જે મુસાફરોને ભવ્ય પ્રવેશદ્વાર પૂરો પાડે છે. આધુનિક કોન્કોર્સ બનશે જેમાં 1060 ચોરસ ફૂટનો ખુલ્લો અને વિશાળ વિસ્તાર, જ્યાં મુસાફરો ભીડ વગર સરળતાથી અવરજવર કરી શકે છે. ડીલક્સ પ્રતીક્ષા ખંડ પણ બનશે જેમાં 218 ચોરસ ફૂટનું આરામદાયક વિશ્રામ ગૃહ, જેમાં ઉત્તમ વેન્ટિલેશન અને બેસવાની શ્રેષ્ઠ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

વિશાળ ફૂટ ઓવર બ્રિજ મુસાફરોની સુરક્ષિત અવરજવર માટે 12 ફૂટ પહોળો નવો પુલ, જે પ્લેટફોર્મ 1 અને 2 ને જોડે છે. વિશાળ કવર શેડમાં પ્લેટફોર્મ પર 5370 ચોરસ ફૂટનો નવો શેડ બનાવવામાં આવ્યો છે, જે મુસાફરોને તડકા અને વરસાદથી રક્ષણ આપશે. સ્માર્ટ પાર્કિંગ: 1550 ચોરસ ફૂટનો સમર્પિત પાર્કિંગ વિસ્તાર, જે વધુ વાહનોને વ્યવસ્થિત રીતે સમાવી શકશે.

દિવ્યાંગજન-અનુકૂળ સુવિધાઓ માટે સર્વસમાવેશી મુસાફરી માટે ટેક્ટાઈલ ટાઈલ્સ, વિશેષ સાઈન બોર્ડ, હેન્ડરેલ્સ અને સમર્પિત પાર્કિંગ સ્લોટની વ્યવસ્થા તેમજ અદ્યતન શૌચાલય બ્લોકમાં 1140 ચોરસ ફૂટમાં ફેલાયેલું અને આધુનિક સુવિધાઓથી સજ્જ નવું શૌચાલય સંકુલ બનાવાશે. સરળ પ્રવેશ અને નિકાસ: ભીડના નિયંત્રણ માટે 08 ફૂટ પહોળા દ્વાર અને સ્ટેશન એપ્રોચ રોડનું વિસ્તૃતીકરણ તેમજ સપાટી સુધારણા કરાશે.રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) ગિરિરાજકુમાર મીનાના જણાવ્યા અનુસાર, “અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ પડધરી સ્ટેશનનો આ પુન:વિકાસ મુસાફરો માટે સરળતા અને ગૌરવપૂર્ણ મુસાફરીના નવા માપદંડ સ્થાપિત કરશે. આધુનિક પ્રતીક્ષા ખંડોમાં બેસવાની ઉત્તમ વ્યવસ્થા, વેન્ટિલેશન અને શાંત વાતાવરણ મુસાફરોનો અનુભવ વધુ સુખદ બનાવશે. આધુનિક માહિતી પ્રણાલી, બહેતર પ્રકાશ વ્યવસ્થા, સ્વચ્છ પરિસર અને સુવ્યવસ્થિત પ્રવેશ-નિકાસ મુસાફરોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડશે.”

Exit mobile version