Site icon Gujarat Mirror

ઇન્દિરા સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં નેપાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

શહેરના યુનિ.રોડ પર ઇન્દિરા સર્કલ પાસે એપાર્ટમેન્ટમાં રહેતા નેપાળી યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાતનો કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ઇન્દિરા સર્કલ પાસે આવેલા કોમલ એપાર્ટમેન્ટમાં રહેતા મુળ નેપાળના વતની સંજય પ્રેમભાઇ ટમટા (ઉ.વ.20)નામના યુવાને આજે સવારે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવેલા પોતાના રૂમમાં પંખા સાથે ચૂંદળી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેનો મોટોભાઇ કામ સબબ બહાર ગયો હતો. જયાથી પરત ઘરે આવ્યો ત્યારે નાનાભાઇએ લટકો જોઇ હતપ્રભ બની ગયો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઇ એક બહેનમાં નાનો અને અગાઉ સ્પામા કામ કરતા હતો. બે મહિના કામે જતો ન હોવાનુ જાણવા મળ્યુ છે. તેને આપઘાત શા માટે કરી લીધો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version