Site icon Gujarat Mirror

બાંગ્લાદેશના નવા સુકાની તારિકને ભારત આવવા મોદીએ આપ્યું ઈજન

છેલ્લા 18 મહિનામાં સંબંધોમાં તણાવ બાદ નવી દિલ્હી ઢાકા સાથે ફરીથી સમાધાન કરવા આતુર હોવાથી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વડાએ પાડોશી દેશની બાગડોર સંભાળ્યા પછી તરત જ તારિક રહેમાનને ભારતની વહેલી મુલાકાત માટે આમંત્રણ આપે તેવી શક્યતા છે. આ આમંત્રણ ઢાકા જનારા લોકસભાના અધ્યક્ષ અને ભારતીય પ્રતિનિધી ઓમ બિરલા સાથે મોકલાવાશે.

બાંગ્લાદેશના નવા વડા પ્રધાન તરીકે રહેમાન મંગળવારે શપથ લેવાના હોવાથી, નવી દિલ્હીએ શપથ ગ્રહણ સમારોહમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને ઢાકા મોકલવાનો નિર્ણય લીધો છે.

બિરલા સાથે વિદેશ સચિવ વિક્રમ મિસરી પણ રહેશે. સમારંભ પછી તરત જ વડા પ્રધાન તરફથી ઢાકામાં તેમના નવા સમકક્ષને નવી દિલ્હીની વહેલી મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવે તેવી શક્યતા છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં લોકસભા અધ્યક્ષની ભાગીદારી ભારત અને બાંગ્લાદેશના લોકો વચ્ચેની ઊંડી અને સ્થાયી મિત્રતા પર ભાર મૂકશે. તે બાંગ્લાદેશને બાંધતા લોકશાહી મૂલ્યો પ્રત્યે ભારતની અડગ પ્રતિબદ્ધતાને પણ પુષ્ટિ આપશે, એમ વિદેશ મંત્રાલયે રવિવારે નવી દિલ્હીમાં જણાવ્યું હતું.

ઇગઙ એ મંગળવારે ઢાકામાં શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે મોદીને આમંત્રણ આપ્યું હતું. જોકે, નવી દિલ્હીએ ઇગઙ ને જણાવ્યું હતું કે વડા પ્રધાન સમારંભમાં હાજરી આપી શકશે નહીં કારણ કે તેમને તે જ દિવસે મુંબઈમાં ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે બેઠક યોજવી પડશે.

54 વર્ષ જૂના રાષ્ટ્રમાં છેલ્લી ચાર સંસદીય ચૂંટણીઓ જીતનાર પક્ષ અવામી લીગની ભાગીદારી વિના યોજાયેલી ચૂંટણીઓમાં તેમના બીએનપીના વિજય બાદ મોદીએ શુક્રવારે રહેમાનને ફોન કરીને અભિનંદન આપ્યા હતા.

Exit mobile version