Site icon Gujarat Mirror

મોરબીના ખેવાળિયા ગામે શોર્ટ લાગતા સગીરનું મોત

મોરબીના ખેવાળીયા ગામની સીમમાં એક વાડીમાં અકસ્માતે ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાને કારણે એક સગીર વયના કિશોરનું અવસાન થયું છે. મોરબી તાલુકા પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, ખેવાળીયા ગામના રહેવાસી 16 વર્ષીય હર્ષભાઈ રાજેશભાઈ કાવર સાંજના સમયે ગામની સીમમાં આવેલી ભીખાભાઇની વાડીએ હતા. આ દરમિયાન અચાનક કોઈ કારણોસર તેમને ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો હતો, જેના કારણે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version