Site icon Gujarat Mirror

પરિક્રમામાં ઓળખાણ થયા બાદ રાજકોટની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સ ઝડપાયો

રૈયાધાર વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા જે 150 ફૂટ રીંગરોડ પર આવેલ રામપીર ચોકડી પાસેના એક કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી. દરમિયાન સગીરા બે વર્ષ પહેલાં જૂનાગઢ ગિરનારમાં યોજાતી પરિક્રમામાં ગઈ હતી.

ત્યારે આરોપી ધર્મેશ ઉર્ફે ધવલ રમેશ બેરાણી (ઉ.વ.21),(રહે. બોટાદ રોડ, વિંછીયા) સાથે આંખ મળી ગઈ હતી અને બંનેએ એકબીજાના નંબરની આપલે કરી હતી.
બાદમાં બંને એકબીજા સાથે ફોનમાં વાતચીત કરતાં હતાં. દરમિયાન સગીરાના પરિવારજનોના હાથમાં મોબાઈલ આવતાં ભાંડો ફૂટ્યો હતો અને તેણી પાસેથી મોબાઈલ ઝુંટવી લીધો હતો. થોડા દિવસ પહેલાં સગીરા ઘરેથી પોતાની નોકરી પર જાય છે તેવું કહીં નીકળી હતી. પરંતુ તે મોડી રાત સુધી ઘરે ન આવતાં તેની શોધખોળ આદરી હતી. પરંતુ પુત્રીનો ક્યાંય પતો ન મળતાં અંતે પોલીસને જાણ કરતાં યુની. પોલીસે અપહરણનો ગુનો નોંધાયો હતો.

બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસ મથકના પીઆઈ એચ.એન.પટેલની રાહબરીમાં પીએસઆઇ વિ.જી.ડોડીયા ટીમ સાથે તપાસમાં હતાં ત્યારે એએસઆઈ જગમાલ ખાટાણા, હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ મોયા અને વિરેન્દ્રસિંહ ઝાલાને મળેલ ચોક્કસ બાતમીના આધારે સગીરાનું અપહરણ કરી નાસી છૂટનાર આરોપી ધર્મેશ ઉર્ફે ધવલ બેરાણીની ધરપકડ કરી સગીરાને મુક્ત કરાવી હતી. જે બાદ સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતાં તેની સાથે દુષ્કર્મ થયાનું સામે આવ્યું હતું.

જે બાદ સગીરાએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપી તેને અહીંથી ભગાડી ચોટીલા લઈ ગયો હતો અને ત્યાંથી જસદણ રહેતાં તેના મામાના ઘરે લઈ જઈ બે વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ખુલતાં આરોપી સામે અપહરણ, પોકસો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

Exit mobile version