Site icon Gujarat Mirror

KKR અને LSG આઠ એપ્રિલે કોલકાતામાં ટકરાશે

 

આ IPL મેચનું શેડ્યૂલ બદલાયું છે:હવે 8 એપ્રિલે KKR અને LSG એકબીજા સામે ટકરાશે આ મેચ હવે 6 એપ્રિલના બદલે 8 એપ્રિલે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. CAB અધિકારીઓએ મેચને મંગળવાર (8 એપ્રિલ) સુધી ખસેડવાનું સૂચન કર્યું હતું, જેને મંજૂરી આપવામાં આવી છે. હવે 6 એપ્રિલે ફક્ત એક જ મેચ રમાશે, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તેના હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઇટન્સનો સામનો કરશે. IPL એ સ્પષ્ટતા કરી છે કે હવે 6 એપ્રિલે ફક્ત એક જ મેચ રમાશે, જ્યારે 8 એપ્રિલ, મંગળવારના રોજ બે મેચ રમાશે. 6 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે, જે સાંજે 7:30 વાગ્યે શરૂૂ થશે. બીજી મેચ સાંજે પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ન્યૂ ચંદીગઢ ખાતે રમાશે.આ સમયપત્રક IPLના પૂર્વનિર્ધારિત સમયપત્રક મુજબ જ રહેશે. તે જ સમયે, IPL 2025 ની પહેલી મેચમાં, KKRને RCB સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. પરંતુ છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે સનસનાટીભર્યા વિજય નોંધાવ્યા બાદ તેઓ ફરીથી ફોર્મમાં આવી ગયા છે.

Exit mobile version