ભારત-પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન જમ્મુ-કાશ્મીરના એલઓસી નજીક વસતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે સીઝ ફાયરની ઘોષણાથી હાલ તો રાહતની લાગણી ફેલાઇ છે. તસવીરોમાં સતવારી એરપોર્ટ નજીક લશ્કરી વાહન પાસેથી પસાર થતો સાઇકલ સવાર, ડોડા જિલ્લામાં બસની રાહ જોતા સ્થાનિકો, ઉરી જિલ્લામાં લોરીમાં સામાન ભરી સલામત સ્થળે જવા રવાના થતો પરિવાર સહિતના દૃશ્યો નજરે પડે છે.
ભારત-પાક. સંઘર્ષથી નિયંત્રણ રેખા નજીક વ્યાપક નુક્સાની

