Site icon Gujarat Mirror

વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં બ્લાસ્ટ બાદ લાગી ભીષણ આગ, બેનાં મોત

ગુજરાતના વડોદરામાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ની રિફાઈનરીમાં વિસ્ફોટ બાદ ભીષણ આગ ફાટી નીકળી છે. આગ એટલી ભયાનક છે કે રિફાઇનરીમાંથી ધુમાડાના વાદળો ઉછળી રહ્યા છે. ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂરથી જોઈ શકાય છે. વડોદરા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો હાલ આગ ઓલવવામાં વ્યસ્ત છે. આ ઉપરાંત રિફાઈનરીમાં હાજર કર્મચારીઓને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે. બ્લાસ્ટમાં બે લોકોના મોત થયાં છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ની રિફાઈનરીમાં 1000 કિલો લિટરની બેન્ઝીન ટેન્કમાં બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી. જો કે, IOCLમાં સ્થાનિક આગ કેવી રીતે કાબૂમાં આવશે? તેઓ આ અંગે કશું બોલી રહ્યા નથી. IOCLમાં આગની માહિતી મળતાં વડોદરા કલેક્ટર, SP અને અન્ય પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક IOCLની ફાયર સેફ્ટી ટીમ અને વડોદરાની ફાયર બ્રિગેડ ટીએ આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. તેમજ રિફાઈનરીમાં ફસાયેલા કર્મચારીઓને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.

કેટલાક કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOCL)ની આ રિફાઈનરી વડોદરાના કોયલી વિસ્તારમાં આવેલી છે. આગ લાગ્યા બાદ ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા. વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહે જણાવ્યું હતું કે રિફાઇનરીમાં બ્લાસ્ટ લગભગ 4 વાગ્યે થયો હતો. કોયાલી વિસ્તારમાં આવેલી IOCL ની રિફાઈનરી એ ભારત સરકારનો ઉપક્રમ છે. આગની ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. અમારી પ્રથમ પ્રાથમિકતા આગ બુઝાવવાની તેમજ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની છે.

અકસ્માત અંગે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ શું કહ્યું?
ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે તેમને બાજવા સરપંચ અજીત પટેલ પાસેથી અકસ્માતની માહિતી મળી હતી. તેમણે રિફાઈનરીમાં આગ અંગે જાણ કરી હતી. બનાવ અંગે રિફાઈનરીના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો. તમામ લોકો બચાવ કાર્યમાં લાગેલા હતા.

Exit mobile version