Site icon Gujarat Mirror

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા SIRની કામગીરીનું કરાયું નિરિક્ષણ

શહેરી અને ગ્રામ્ય બૂથોની મુલાકાત લઇ કર્મચારીઓને માહિતગાર કર્યા

કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એન.વી.ઉપાધ્યાયે આજે સવારે મતદારયાદી સઘન સુધારણા (SIR ) ની જિલ્લામાં ચાલતી કામગીરીનું પ્રત્યક્ષ નિરિક્ષણ કરવા જિલ્લાના વિવિધ બૂથ અને મથકોની મુલાકાત લીધી હતી.
કલેક્ટર એ વેરાવળ સીટી વિસ્તાર અને તાલાલા ના ગ્રામ્ય બુથો ની મુલાકાત લીધી હતી. તેમણે મતદારયાદી સઘન સુધારણા અંતર્ગત મતદારોને અગવડતા ન પડે અને ઝડપથી કામ થાય એ દિશામાં કામગીરી કરવા ઉપસ્થિત કર્મચારીઓને માર્ગદર્શિત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદી સઘન સુઘારણા કાર્યક્રમ (Special Intensive Revision-SIR) ચાલી રહ્યો છે. તેના ભાગ રૂૂપે દરેક મતદારને તેમના ઘરની નજીક માર્ગદર્શન મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ કેમ્પનું આયોજન પણ કરાયું છે. જે અંતર્ગત તા. 15, 16 , 22 અને 23 નવેમ્બર,2025ના રોજ સવારે 09:00 થી બપોરે 1:00 કલાક સુધી જિલ્લાના તમામ બૂથ લેવલ ઓફિસર તેમના મતદાન મથક પર હાજર રહેશે અને મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરશે.

Exit mobile version